Money9: “શેરધારકોએ આઇશર મોટર્સના MD સિદ્ધાર્થ લલના રિએપોઇન્ટમેન્ટ પર વીટો કર્યો”…રૂમીએ જ્યારે સમાચારોમાં આ ડેડલાઇન જોઇ તો તે ચોંકી ગઇ. તેને લાગતું હતુ કે પબ્લિક લિસ્ટેડ કંપનીઓના રોજબરોજના કામકાજમાં શેરધારકોની કોઇ વધુ ભૂમિકા નથી હોતી. જો કે શેરધારકોના મેનેજમેન્ટ માટે જવાબદારી નક્કી કરવાનો આ એકમાત્ર કિસ્સો નથી. ભારતમાં શેરહોલ્ડર એક્ટિવિઝમ હજુ એક નવી ચીજ છે.
કોર્પોરેટ જગતની ભાષામાં શેર હોલ્ડિંગનો સીધો અર્થ હોય છે ઓનરશીપ. એટલે જેની પાસે જેટલા શેર હશે. કંપનીના કામકાજમાં તેનું એટલું જ મહત્વ હશે. ભારતમાં મોટભાગની કંપનીઓમાં પ્રમોટર સૌથી મોટા શેરધારક બનેલા છે. એટલે તેઓ જ ડિફોલ્ટ રીતે ડિસીજન મેકર છે એટલે કે તે મોટા નિર્ણય લે છે. પરંતુ કંપનીઝ એક્ટ હેઠળ બધા શેરધારક તેમના શેર ગમે તેટલા કેમ ન હોય, કંપનીના નિર્ણયોને લઇને પોતાનું સ્ટેન્ડ જણાવી શકે છે.
ઈ-વોટિંગના આવવાથી ઘણું બદલાઈ ગયું છે, તેનાથી મીટિંગમાં ફિઝિકલી હાજર રહેવાની જરૂરિયાત સમાપ્ત થઇ ગઇ છે અને દરેક વ્યક્તિ સરળતાથી પોતાનો વોટ આપી શકે છે.
ડેટા દર્શાવે છે કે 2022માં નિફ્ટી 500 કંપનીઓના તમામ શેરમાં પ્રમોટર્સની 50.45 ટકા હિસ્સેદારી હતી જ્યારે સંસ્થાકીય રોકાણકારો પાસે 28.42 ટકા શેર હતા. જો કે, આ શેરધારકોમાંથી 83.57 ટકા લોકોએ તેમના વોટનો ઉપયોગ કર્યો, જે 2021ના 82.26 ટકાના આંકડા કરતાં થોડો વધારે છે.
રિટેલ શેરધારકો, ટ્રસ્ટ વગેરે સહિત અન્ય પાસે માત્ર 21.14 ટકા ઓનરશિપ હતી. તેમાંથી માત્ર 29.01 ટકા લોકોએ જ પોતાનો વોટ આપ્યો અને તે 2021ના 26.31 ટકાથી વધુ હતો. જ્યારે નંબર એકંદરે ઓછા હતા, ત્યારે તેમાં થોડો વધારો જોવા મળ્યો. આનું કારણ સ્ટેકહોલ્ડર્સ એમ્પાવરમેન્ટ સર્વિસીસ એટલે કે SES, InGovern અને ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર એડવાઇઝરી સર્વિસિઝ એટલે કે IIAs જેવી પ્રોક્સી એડવાઇઝરી ફર્મના ઉદ્ભવને કારણે હોઈ શકે છે. તેઓ સામાન્ય રીતે જાણકારી ન ધરાવતા અને નાના શેરધારકોને કંપનીનો કોર્પોરેટ ગવર્નન્સ સંબંધિત ડેટા અને માહિતી આપે છે, જેનાથી તેમને સંપૂર્ણ જાગૃતિ સાથે પ્રસ્તાવો પર પોતાનો વોટ કરવામાં મદદ મળે છે.
જ્યારે કોઈ કંપની પરિવર્તન લાવવા માંગે છે, ત્યારે તે પ્રસ્તાવ લાવીને આવું કરે છે. આ એક સાધારણ રીઝોલ્યુશન હોઈ શકે છે જેના માટે સીધી બહુમતીની જરૂર હોય છે અથવા તો એક ખાસ રીઝોલ્યુશન હોઈ શકે છે જેના માટે 75 ટકા કે તેથી વધુ શેરધારકોની એકસાથે સંમતી જરૂરી હોય છે.
એક બીજી કેટેગરી છે જેને મેઝોરિટી ઓફ માઇનોરિટી સોલ્યૂશન કહે છે. તેના પાસ થવા માટે મોટાભાગના લઘુમતી શેરધારકો એટલે કે એવા શેરધારક જેમની પાસે કંપનીના 50 ટકાથી ઓછા શેર છે, તેમની સર્વસંમતિ જરૂરી છે. આ મંજૂરી સંબંધિત પક્ષના વ્યવહારો માટે જરૂરી છે, જેમ કે એક લમસમ એમાઉન્ટ માટે કંપનીનો એક હિસ્સો વેચવા સહિત અન્ય.
તો હવે આમાં વિવાદનો વિષય શું હોઈ શકે છે? જવાબ છે પગાર અને ESOPs… મોટાભાગની દરખાસ્તો કે જેના કારણે શેર હોલ્ડર એક્ટિવિઝમ શરૂ થયું તે એમ્પ્લોયી સ્ટોક ઓનરશિપ પ્લાન એટલે કે ઇશોપ્સ, ડાયરેક્ટર અને મેનેજમેન્ટની નિમણૂક અને તેના પગાર સાથે સંબંધિત હતી. જ્યારે દેશમાં શેરહોલ્ડર એક્ટિવિઝમ દેશમાં વધારે વ્યાપક ન હોય, તેના કારણે મનસ્વી રીતે ડિસ્કાઉન્ટ પર ESOPs જાહેર કરવા, સીનિયર અધિકારીઓની આવકમાં અસાધારણ વધારો જેવા મુદ્દાઓ સામે આવ્યા છે, જેની પર સામાન્ય રીતે ધ્યાન નથી જતું.
આ વર્ષે, હેવેલ્સના સંસ્થાકીય રોકાણકારોએ કંપનીના ચેરમેન અને એમડી અનિલ રાય ગુપ્તાને આપવામાં આવેલા પગારનો વિરોધ કર્યો હતો. ઇન્સ્ટિટ્યુશનલ શેરહોલ્ડર સર્વિસિસ અથવા ISS જેવી ઘણી પ્રોક્સી એડવાઇઝરી કંપનીઓએ તાજેતરમાં રિલાયન્સના બોર્ડમાં અનંત અંબાણીના સમાવેશ સામે વાંધો ઉઠાવ્યો હતો.
CA સંજય ગર્ગ કહે છે, “સામાન્ય રીતે રિટેલ રોકાણકારો કંપનીના રોજિંદા કામકાજ વિશે જાગૃત નથી હોતા. તેઓનું ધ્યાન તો માત્ર સમયસર ડિવિડન્ડ અને બોનસ શેર મળે તેના પર જ હોય છે. કંપની અંગેની ફરિયાદોના કિસ્સામાં, રોકાણકારોની ફરિયાદો વાળા સેલ દ્વારા ધ્યાન આપવામાં આવે છે. આ સેલ દરેક કંપનીમાં હોય છે. જો કે સંસ્થાકીય રોકાણકારો વધુને વધુ જાગૃત બની રહ્યા છે અને મેનેજમેન્ટની જવાબદારી નક્કી કરી રહ્યા છે.”
તેથી, માઇનોરિટી શેરધારકોનું કંપનીના કામકાજ પર ધ્યાન આપવા અને નિર્ણયોમાં વધતી રુચિ તેમજ વધુ ભાગીદારીથી કોર્પોરેટ ગવર્નન્સ અને જવાબદારી અંગે પારદર્શિતા લાવવામાં મદદ મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો