Money9: શેર બજારમાં ઉતાર-ચડાવ થવો એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. બજારમાં પૈસા લગાવનારા આ વસ્તુ માટે તૈયાર પણ રહે છે. જ્યારે કોઇ ઇન્ડેક્સ તેના અત્યારના સૌથી વધુ ઉંચાઇના સ્તરથી 20 ટકાથી વધુ ઘટી જાય છે તો તેને બિયર માર્કેટ એટલે મંદીનું બજાર કહેવાય છે. આ જ રીતે જ્યારે કોઇ ઇન્ડેક્સ પોતાના બિયર માર્કેટના નીચલા સ્તરેથી 20 ટકાથી વધુ ઉપર જાય છે તો તેને બુલ માર્કેટ એટલે તેજીનું બજાર કહે છે.
જો કે નિફ્ટી હજુ તેની 52 સપ્તાહની ઉંચાઇએથી અંદાજે 13 ટકા નીચે ચાલી રહ્યો છે. એટલે ટેકનિકલ રીતે આ બિયર માર્કેટ નથી, પરંતુ બજારમાં ભારે ઘટાડાનો સમય તો છે જ. તો ઘટાડાના આ બજારમાં તમારે તમારા પોર્ટફોલિયોને પોઝિટિવ એટીટ્યુડની સાથે જોવું પડશે.
શું કહે છે એક્સપર્ટ?
બજારના જાણકારોનું કહેવું છે કે લોંગ-ટર્મમાં બજારનું વેલ્યૂએશન આકર્ષક થઇ ગયું છે, પરંતુ કમાણીમાં ઘટાડાનું અનુમાન, FIIની વેચવાલી અને આંતરરાષ્ટ્રીય બજારોમાં નરમાશના કારણે ભારતીય શેરમાર્કેટમાં વધુ ઘટાડો આવી શકે છે.
FMCG, Consumption(કન્ઝમ્પશન), Discretionary(ડિસ્ક્રેશનરી), IT, Pharma, અને Telecom સેક્ટરની એવી કંપનીઓ કે જેમની બેલેન્સ શીટ મજબૂત છે, સ્થાયી કારોબારી આઉટલુક છે, તે બજારના મુકાબલે સારું પ્રદર્શન કરી શકે છે, કારણ કે ભવિષ્યમાં મોંઘવારીમાં ઘટાડો આવી શકે છે અને વધતા વ્યાજ દરોની અસર આની પર ઓછામાં ઓછી થાય છે. જાણકારો કહે છે કે ઘટાડાના સમયમાં લોકોએ લાર્જકેપ શેરો પર ફોક્સ કરીને નવું રોકાણ શરૂ કરવું જોઇએ.
જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિઝના રિસર્ચ હેડ વિનોદ નાયર કહે છે કે રોકાણ રણનીતિ એક થી ત્રણ ત્રિમાસિક માટે હોવી જોઇએ, પરંતુ સાથે જ ખરાબમાં ખરાબ હાલત માટે તૈયાર રહો. ભવિષ્યમાં એવા શેર સૌથી સારુ પ્રદર્શન કરી શકે છે જે કોઇ સેગમેન્ટ કે ઇન્ડસ્ટ્રીના લીડર છે. જેની પાસે પ્રાઇસિંગ પાવર છે અને જેની પર ઉંચી મોંઘવારી તથા વધતા વ્યાજ દરોની ઓછી અસર થાય છે. HDFC સિક્યોરિટીઝના રિટેલ રિસર્ચ ડેસ્કના એક રિપોર્ટ અનુસાર ઘટાડાના સમયગાળામાં dividend-yielding strategy (ડિવિડન્ડ યીલ્ડિંગ સ્ટ્રેટેજી) રોકાણ માટે સારી રણનીતિ હોઇ શકે છે.
કેમ કરવું જોઇએ રોકાણ?
ઐતિહાસિક આંકડાઓ પર નજર કરીએ તો ઘટાડાના સમયગાળામાં અન્ય શેરોના મુકાબલે હાઇ ડિવિડન્ડ યીલ્ડ ધરાવતા શેર સારુ પ્રદર્શન કરે છે. ઉંચું ડિવિડન્ડ આપનારી કંપનીઓ સામાન્ય રીતે એવી પરિપક્વ ફર્મ હોય છે જેમને નવા રોકાણની જરૂરિયાત ઓછી હોય છે, એટલે તેમની પાસે ઘણી કેશ બચે છે. એવી ઘણી કંપનીઓ એવા ડિફેન્સિવ સેક્ટરની હોય છે જેની પર બજારના ઉતાર-ચડાવની અસર ઘણી ઓછી થાય છે અને જે આર્થિક સુસ્તીના સમયગાળામાં સાઇક્લિકલ શેરોના મુકાબલે સારુ પ્રદર્શન કરે છે. એટલે નિયમિત રીતે સારુ રિટર્ન પ્રાપ્ત કરવા અને ઘટાડાના સમયગાળામાં ટકી રહેવા માટે તમારે dividend-yielding stocksમાં રોકાણ કરવું જોઇએ.
એક રોકાણકાર તરીકે તમારે એ બાબત પર ઉંડાણપૂર્વક વિચાર કરવો જોઇએ કે કોઇ શેર તમારે શું કામ જોઇએ? જો કોઇ કંપનીના મજબૂત ફંડામેન્ટલ તમને આકર્ષિત કરે છે તો એ વાતની સારી શક્યતાઓ છે કે ઘટાડાના બજારમાં પણ તે ફંડામેન્ટલ શેરને સહારો આપે. તો દરેક રોકાણમાં જો તમે આ સવાલનો જવાબ હંમેશા મનમાં રાખશો કે તમે કોઇ શેરમાં કેમ રોકાણ કર્યું તો તમે પેનિક સેલિંગ એટલે કે ઘટાડાના સમયગાળામાં ગભરામણની વેચવાલીથી બચી શકો છો. જો તમે શેરબજારમાં રોકાણ કર્યું છે તો દરેક દિવસનો ઘટાડો તમારા ધબકારા વધારી દે છે. પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખો કે આ ખરીદારીની પણ તક આપે છે, કારણ કે તેમાં તમને એવરેજિંગ કરવાની સારી તક મળે છે. તો સારી રીતે રિસર્ચ કરો અને જુઓ કે ઘટાડાના માર્કેટમાં તમને મજબૂત શેર ખરીદવાની તક ક્યાં મળી રહી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો