Money9: શેરબજારના કોઇપણ માર્કેટ એક્સપર્ટ હંમેશા તમને એક જ સલાહ આપતા હોય છે અને તે એ કે મજબૂત ફંડામેન્ટલવાળા શેરમાં દાવ લગાવો. કેશવ પણ એક અનુભવી ઇન્વેસ્ટર છે. તે મજબૂત ફંડામેન્ટલવાળી બ્લૂચિપ કંપનીઓ પર લાંબાગાળા માટે દાવ લગાવે છે. કેશવની કોશિશ સસ્તા ભાવે શેરની ખરીદી કરવાની હોય છે. જેમ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં તેણે ટાઇટનનો શેર 2,240 રૂપિયાના લેવલ પર ખરીદી લીધો. ટાઇટનના ફંડામેન્ટલ્સ પર કેશવને મજબૂત ભરોસો હતો, અને કેમ ન હોય? બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ પણ ટાઇટનમાં મોટો સ્ટેક લઇને રાખ્યો છે. આમેય રોકાણકારો અડધા નિશ્ચિંત તો એ વાતને લઇને જ થઇ જાય છે કે ઝુનઝુનવાલાના પૈસા કંપનીમાં લાગેલા છે.
ટાઇટનના પાછલા રેકોર્ડ તો દમદાર હતા અને આગળ પણ અહીં તગડો નફો કમાવવાની આશા કેશવને હતી. પરંતુ ટાઇટનના ચોથા ક્વાર્ટરના પરિણામોએ કેશવ અને તેમના જેવા બીજા રોકાણકારોના મનમાં એક આશંકા ઉભી કરી દીધી. આશંકા એ કે શું ખરેખર ટાઇટન હવે પહેલાં જેવી કમાણી કરાવી શકશે?
ટાઇટન શું કરે છે?
તો આ વીડિયોમાં અમે ટાઇટનનો જ પૂરો હિસાબ-કિતાબ તમને સમજાવીશું. જેમને કંપની અંગે વધારે ખબર નથી તેમને જણાવી દઇએ કે ટાઇટનની સ્થાપના 1984માં થઇ હતી. આ ટાટા ગ્રુપ અને Tamil Nadu Industrial Development Corporation Ltd એટલે કે TIDCO નું જોઇન્ટ વેન્ચર છે. તેમાં ટાટાની લગભગ 25% અને TIDCOની 28% હિસ્સેદારી છે. હવે વાત કરીએ બિઝનેસની. તો સામાન્ય રીતે કંપની ચાર સેગમેન્ટ્સમાં કારોબાર કરે છે. તેમાં જ્વેલેરી, ઘડિયાળ, આઇકેર અને અન્ય સેગમેન્ટ સામેલ છે. બ્રાન્ડેડ જ્વેલેરી અને ઘડિયાળના સેગમેન્ટમાં કંપની માર્કેટ લીડર છે.
સોનામા તેજીથી ટાઇટનને ચાંદી
આ તો થઇ કંપનીની વાત..આગળ વધીએ અને પાછા આવીએ કંપનીના શેર પર…તો થયું એવુ છે કે કોરોનાના માર બાદ ચીજો સામાન્ય થવાની શરૂ થઇ જ હતી કે રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધના નગારા વાગ્યાં. ઉથલ-પાથલના માહોલમાં લોકો બજાર છોડીને સોના તરફ ભાગવા લાગ્યા. 8 માર્ચના રોજ તો સોનાનો ભાવ 2,070 ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. સોનામાં તેજીથી ટાઇટનના શેરોને ચાંદી થઇ ગઇ. 21 માર્ચના રોજ સ્ટૉક 2,768 રૂપિયાની 52 સપ્તાહની ઉંચાઇએ પહોંચી ગયો.
ટાઇટનનો શેર કેમ પટકાયો?
જુનો રેકોર્ડ ઉઠાવીને જોઇએ તો 23 વર્ષમાં ટાઇટને રોકાણકારોને 650 ગણાથી વધુ માલ કમાવીને આપ્યો છે. કેશવ પણ આ જ કારણથી તેમાં ટક્યો છે. પરંતુ જ્યારે સોનું આસમાને પહોંચ્યુ તો લોકો સોનાથી દૂર ભાગવા લાગ્યા. જ્વેલેરીની ખરીદી ઘટવા લાગી. આનાથી ચોથા ત્રિમાસિકમાં કંપનીના પરિણામો નબળા આવ્યાં. આનું એક મોટુ કારણ એ છે કે કંપનીની કમાણીનો 90 ટકા હિસ્સો જ્વેલેરી સેગમેન્ટમાંથી આવે છે. ચોથા ક્વાર્ટરમાં ખરાબ પ્રદર્શન અને વિદેશીઓની વેચવાલીના પગલે શેર એક સમયે 2000 રૂપિયાની નીચે પણ સરકી ગયો હતો. હજુ પણ તે 52 સપ્તાહની ઉંચાઇથી લગભગ 26 ટકા નીચે છે. ક્વાર્ટર 4ના નબળા પરિણામો અને શેર 2000 રૂપિયાની નીચે જતો જોઇને કેશવનો ભરોસો પણ ડગી ગયો.
શું ટાઇટનમાંથી બહાર નીકળી જવું જોઇએ?
એક્સપર્ટ કહે છે કે હજુ આ શેરને વેચવાની રણનીતી ઠીક નહીં ગણાય. કારણ કે હાલના ઘટાડા બાદ બ્રોકર્સ આ શેરને લઇને બુલિશ છે. તેમને આશા છે કે ટાઇટનનો શેર 3,000 રૂપિયા સુધી જઇ શકે છે. એટલે કે તેમાં 50 ટકાની તેજી આવી શકે છે. પરંતુ વાત એ આવે છે કે બ્રોકર્સ છેવટે ટાઇટન પર આટલા બુલિશ કેમ છે?
તો આની પાછળ 5 મોટા કારણ છે. એક તો એ કે મોંઘવારીથી ધનિક લોકોને ખાસ અસર નથી થઇ. બીજું પ્રીમિયમ કેટેગરીમાં મજબૂત ડિમાંડથી મીડિયમ ટર્મમાં કંપનીનો ગ્રોથ સારો રહેવાની આશા બ્રોકર્સને છે. તેમ છતાં શેરનું વેલ્યૂએશન 5 વર્ષની એવરેજની નજીક છે. ચોથું જ્વેલેરી ઇન્ડસ્ટ્રી ઘણી તેજીથી સંગઠિત રહી છે. સરકારે હૉલમાર્કિંગ અનિવાર્ય કરી દીધું છે. અને પાંચમું કારણ જ્વેલેરી સેગમેન્ટમાં કંપનીનો અંદાજે 6 ટકા જ માર્કેટ શેર છે. એટલે કે ગ્રોથની અપાર સંભાવના છે.
કંપનીની નાણાકીય સ્થિતિ ઘણી મજબૂત છે. આવુ એટલા માટે કારણ કે ભલે લોકોએ જ્વેલેરી ખરીદવાનું ઓછું કર્યું હોય પરંતુ કંપનીએ તેના માર્જિનની સાથે કોઇ સામાધાન નથી કર્યું. Titanના માર્જિન પ્રી-કોવિડ સ્તરની પાર નીકળી ગયા છે. કુલ મળીને વાત એમ છે કે કેશવ માટે હમણાં ટાઇટનના શેરને વેચવામાં સમજદારી નહીં હોય. જો મુડી હોય તો લાંબાગાળાના દ્રષ્ટિકોણથી શેરમાં નીચેના ભાવથી એવરેજિંગ પણ કરી શકાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો