RILના શેરહોલ્ડર્સને પ્રત્યેક શેર પર જિયો ફાઇનાન્સનો એક શેર મળશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરહોલ્ડર્સ અને તેના સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ ક્રેડિટર્સે કંપનીના ફાઇનાન્સિયલ સર્વિસ બિઝનેસ રિલાયન્સ સ્ટ્રેટેજિક વેન્ચર્સના ડિમર્જરને મંજૂરી આપી છે.
MONEY9 GUJARATI: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરહોલ્ડર્સ અને તેના સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ ક્રેડિટર્સે કંપનીના ફાઇનાન્સિયલ સર્વિસ બિઝનેસ રિલાયન્સ સ્ટ્રેટેજિક વેન્ચર્સના ડિમર્જરને મંજૂરી આપી છે. ફાઇનાન્સિયલ સર્વિસ પાંખને હવે જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ નામ આપવામાં આવશે. લગભગ 100 ટકા વોટ ડિમર્જરની તરફેણમાં હતા. બિલિયનોર મુકેશ અંબાણીની આગેવાનીવાળી કંપનીએ 3 મેના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરહોલ્ડર્સને તેમની જોડે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રત્યેક શેર પર જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસનો એક શેર આપવામાં આવશે. કે વી કામથ ડિમર્જ થયેલી નવી કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન હશે અને આ કંપની BSE અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ બંને પર લિસ્ટ થશે.
Published - May 4, 2023, 06:20 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો