Money9: 1973માં સ્થાપિત સાધના નાઇટ્રો કેમને સ્પેશ્યાલિટી કેમિકલ્સના ઉત્પાદનમાં મહારથ પ્રાપ્ત છે. મહારાષ્ટ્રના રોહામાં સ્થિત કંપનીના 22 એકરના પ્લાન્ટને સરકાર તરફથી 2-Star Golden Export Houseની માન્યતા પ્રાપ્ત છે. કારણ કે તેની આવકનો લગભગ 80 ટકા હિસ્સો એક્સપોર્ટ્સથી આવે છે.
આ કંપની મેટા એમિનો ફેનોલ MAP (એમએપી) અને એલનાઇલ 2,5-ડાયસલ્ફોનિક એસિડનું ઉત્પાદન કરે છે. MAP થી જાતે કિટો એસિડ બનાવે છે જેને બાદમાં કલરફોર્મર ODB2ના મન્યુફેક્ચરિંગમાં ઉપયોગમાં લેવામાં આવે છે. હકીકતમાં આ એક ઇંટીગ્રેટેડ કંપની છે જે બેન્ઝિન ખરીદીને જાતે નાઇટ્રોબેન્ઝિનનું મેન્યુફેક્ચરિંગ કરે છે. જેના બાદમાં હાઇ વેલ્યૂ એડેડ પ્રોડક્ટ્સ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. 1975થી કંપની નાઇટ્રોબેન્ઝિનનું મેન્યુફેક્ચરિંગ કરી રહી છે. આ રીતે કંપનીની ઇન્ટરમીડિયેટ ઉત્પાદન સપ્લાય કરનારી કંપની પર નિર્ભરતા નથી અને મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા લાંબાગાળામાં ટકાઉ બની જાય છે. તેનાથી ઉત્પાદનમાં ઘટાડાના સમયે કંપની કિંમતોમાં કોઇ મોટા ઉતાર-ચડાવથી બચી જાય છે.
નાઇટ્રોબેન્ઝિનથી પેરા એમિનોફિનોલ એટલે કે PAP (પીએપી) બનાવનારી દુનિયાની માત્ર બીજી કંપની છે…કોઇ અન્ય રીતના બદલે નાઇટ્રોબેન્ઝિનથી બનેલા PAPમાં ઘણી શુદ્ધતા હોય છે. એટલે કે ક્વોલિટી ચીન જેવા ગ્લોબલ કોમ્પીટિટર્સથી પણ ઘણી સારી હોય છે. PAPનો ઉપયોગ દુનિયાની અગ્રણી પેઇનકિલર પેરાસીટામોલના ઉત્પાદનમાં થાય છે. આ ઉપરાંત PAPને એરોસ્પેસ, કોસ્મેટિક્સ અને અન્ય સેક્ટર્સમાં ઉપયોગમાં લેવામાં આવે છે. હાલ કંપનીની 3000 TPAની ક્ષમતા છે જેને વધારવા પર કંપની ફોકસ કરી રહી છે
હકીકતમાં નાઇટ્રોબેન્ઝિનથી PAP બનાવવાની ઘણી કંપનીઓ કોશિશ કરી પરંતુ તે સફળ નથી થઇ. સાધના નાઇટ્રો કેમિકલની આ પ્રક્રિયાને ગ્લોબલ ગ્રાહકોથી પણ મંજૂરી મળી ચૂકી છે. એપ્રિલ 2024થી આ પ્રોડક્ટનો સ્ટેલબ સપ્લાય શરૂ થવાની આશા છે. આ કંપનીના ગ્રાહકોમાં લોરીઅલ, હન્ટ્સમેન એડવાન્સ મટીરિયલ્સ, ટેજિન અને બેયર ક્રોપ સાયન્સ સહિત ઘણી ગ્લોબલ કંપનીઓ સામેલ છે.
સાધના નાઇટ્રો કેમિકલને સરકાર તરફથી કુલ 36000 TPA ક્ષમતા માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ એટલે કે PLI નો લાભ મળ્યો છે. આ કંપનીએ જૂન 2022થી પોતાના પહેલા PAP પ્લાન્ટથી ઉત્પાદન શરૂ કર્યું હતું. આ પ્લાન્ટથી વેચાણ શરૂ થયા બાદ કંપનીએ ઉત્પાદનની સાથે સાથે ક્વોલિટીને પણ સફળતા પૂર્વક સ્થિર કર્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે ભારતમાં PAPનો મોટાપાયે આયાત થાય છે. ભારતમાં દર વર્ષે માત્ર પેરાસીટામોલ માટે ચીનથી 60,000 TPA PAPની આયાત કરવી પડે છે. જો કે પર્મેનન્ટ શટડાઉન અને કેટલાક અન્ય મુદ્દાના કારણે ફક્ત 15,000 TPAનો જ ઇમ્પોર્ટ થઇ શકે છે. પરંતુ આ કંપની એકતરફ પોતાની ક્ષમતા વધારી રહી છે અને બીજી તરફ PLIના ફાયદા મળવાથી એપ્રિલ 2024થી આ કંપનીના વોલ્યૂમમાં મોટો વધારો થવાની આશા છે.
કંપનીના બિઝનેસમાં બેન્ઝેન, નાઇટ્રિક એસિડ, કોસ્ટિક પોટાશ, સલ્ફર બેઝ્ડ કેમિકલ્સ, આર્યન પાવડર જેવા રો મટીરિયલ્સની મહત્વની ભૂમિકા છે. અને તેની કોસ્ટ અને અવાઇલબિલિટી એક મોટી ચિંતા છે. આ ઉપરાંત કારણ કે આવકનો એક મોટો હિસ્સો વિદેશમાંથી આવે છે તો ફોરેન એક્સચેન્જ એટલે કે વિદેશી કરન્સી સાથે જોડાયેલા ઉતાર-ચડાવ પણ એક મોટા પડકાર તરીકે સામે આવી શકે છે.
FY24માં કંપનીનું વેચાણ 176 કરોડ રૂપિયા, FY25માં 300 કરોડ રૂપિયા અને FY26માં 450 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે. તો નફો FY24માં 15 કરોડ રૂપિયા, FY25માં 42 કરોડ રૂપિયા અને FY26માં 75 કરોડ રૂપિયા રહેવાની આશા છે. આ હિસાબે FY24માં EPS એટલે કે પ્રતિ શેર નફો 5.15 રૂપિયા, FY25માં 14.42 રૂપિયા અને FY26માં 25.76 રૂપિયા રહેવાની સંભાવના છે. એક બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે FY23થી FY26 દરમિયાન એટલે કે આવતા 4 વર્ષમાં EPS ગ્રોથનો વાર્ષિક દર 80થી 100 ટકા રહેવાની આશા છે.
નાણાકીય પ્રદર્શન સ્થિરતા, મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયો અને dominant માર્કેટ શેરને ધ્યાનમાં રાખીને શેરનું રી-રેટિંગ થવાની સંભાવના છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર આવતા 18 મહિનાના દ્રષ્ટિકોણથી શેરને 150 રૂપિયાના લક્ષ્ય સાથે ખરીદી શકાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો