Money9: આપણે એવા ઘણા કિસ્સા સાંભળીએ છીએ કે, ‘ફલાણા ભાઇએ ફલાણા માર્કેટ ગુરુની સલાહ સાંભળીને કોઇ કંપનીમાં રોકાણ કર્યું અને કંપની અત્યારે ડૂબી ગઇ અને અત્યારે તેણે માથે હાથ દઇને બેસવાનો વારો આવ્યો છે.
ક્યાંક તમે પણ કોઇ ઊંટવૈધ જેવા માર્કેટ ગુરુની સલાહ પર તો પૈસા નથી લગાવી દેતાને?….તમે કોઇ જુની કાર પણ ખરીદો છો તો તેની પૂરી તપાસ કરી લો છો કે તેનો માલિક કેવો છે, કેટલા કિલોમીટર ચાલી છે..કોઇ એક્સીડેન્ટ થયો છે કે નહીં….એટલું જ નહીં જ્યારે તમે પોતે નોકરી કરવા જાઓ છો તો એ જાણવાની પૂરી કોશિશ કરો છો કે તે કંપની મજબૂત છે કે નહીં, લાંબુ ટકી શકે તેમ છે કે નહીં..તો જરા વિચારો કે જ્યારે તમે કોઇ કંપનીમાં તમારી પરસેવાની કમાણી લગાવી રહ્યા છો તો તે અંગે તમારે કંઇક તો તપાસ કરવી જ જોઇએને..કંપની શું કરે છે? તેની બેલેન્સશીટ કેવી છે? અને સૌથી બેઝિક વાત..એ ખાસ ચેક કરી લો કે કંપનીના પ્રમોટર કોણ છે?
આ લેખનો વીડિયો જોવા અહીં ક્લિક કરો: https://www.youtube.com/watch?v=piUKJRBOyw8
રોકાણ કરતા પહેલાં જુઓ કે પ્રમોટર કેવો છે?
આમ તો કોઇપણ કંપનીમાં રોકાણ કરતા પહેલાં તેને ઘણાં મૂળભૂત માપદંડો પર પરખી લેવી જોઇએ. આમાં સૌથી પહેલો અને સૌથી મહત્વપૂર્ણ માપદંડ છે પ્રમોટર.. એટલે કે કંપનીના માલિકની પરખ..બિઝનેસને આઇડિયાથી લઇને નફાકારક કંપની બનાવવા સુધીનું પૂરુ કામ પ્રમોટરનું જ હોય છે. એટલે કે બિઝનેસનું બી રોપ્યા બાદ તૈયાર પાકને ઉતારવા સુધી પ્રમોટરની ભૂમિકા ઘણી મહત્વની હોય છે. કોઇ એક કંપનીમાં એક, બે કે બેથી વધુ પ્રમોટર પણ હોઇ શકે છે. અને કોઇ કિસ્સામાં તો પ્રમોટર કોઇ સંસ્થા પણ હોઇ શકે છે. તમે ICICI બેંક કે ITCનું ઉદાહરણ લઇ શકો છો. જેના કોઇ પ્રમોટર નથી..
કોઇ કંપનીના ગ્રોથમાં પ્રમોટર્સની ભૂમિકા ઘણી મહત્વની હોય છે. તેનું કામ છોડના મૂળ જેવું હોય છે. પ્રમોટર્સ આખી કંપનીના અલગ-અલગ સેગમેન્ટ્સની વચ્ચે સંતુલન ઉભું કરવાનું અને નાના આઇડિયાને નફાકારક બિઝનેસમાં ફેરવવાનું કામ કરે છે. કંપનીમાં રોકાણ કરતી વખતે પ્રમોટરના ટ્રેક રેકોર્ડની તપાસ ઘણી જરુરી છે. કંપનીનું પ્રદર્શન પ્રમોટરના રહેવાથી કેવું રહ્યું છે એ પણ જાણવું જરુરી છે.
તો શેરની પસંદગી કરતી વખતે પ્રમોટર કોણ છે, તેનો ટ્રેક રેકોર્ડ કેવો છે, ખરાબ સમયમાં તે કેવા નિર્ણય લે છે, કંપનીએ કેવો ગ્રોથ દર્શાવ્યો છે. તે તમામ બાબતો જાણી લેવી જરુરી છે.
કંપનીમાં પ્રમોટરનો હિસ્સો કેટલો છે?
સાથે જ કંપનીમાં પ્રમોટરનો કેટલો હિસ્સો છે તે પણ જાણવું જરૂરી છે. માની લો કોઇ કંપનીના કુલ 100 શેર છે જેમાંથી પબ્લિક એટલે અલગ-અલગ રોકાણકારોએ કુલ 25 શેર્સ ખરીદીને રાખ્યા છે. તો તે હિસાબે પ્રમોટરની પાસે 75 શેર બચ્યા છે. જેનો અર્થ એ થયો કે પ્રમોટરનું હોલ્ડિંગ 75 ટકા છે.
હોલ્ડિંગ જેટલું વધારે હોય છે પ્રમોટરની પાસે કંપનીનો એટલો વધારે કન્ટ્રોલ હોય છે. જો કોઇ કંપનીમાં પ્રમોટરનો હિસ્સો 45-50 ટકા સુધી છે તો સારુ ગણાય છે પરંતુ જો 75 ટકાની નજીક હોય, તો નિર્ણય લેવામાં કોઇ મુશ્કેલી નથી પડતી. માર્કેટ રેગ્યુલેટર સેબીના નિયમો અનુસાર કોઇપણ કંપનીમાં પ્રમોટર હોલ્ડિંગ 75 ટકાથી વધુ ન હોઇ શકે. અને હાં રોકાણ કરતી વખતે છેલ્લા પાંચ વર્ષના પ્રમોટર હોલ્ડિંગનો રેકોર્ડ જરુર જુઓ. જો પ્રમોટર હોલ્ડિંગ વધી રહ્યું છે કે સ્થિર છે તો કંપની ભરોસાલાયક છે. જો હોલ્ડિંગ ઘટી રહ્યું હોય કે હિસ્સેદારી ગીરવે મૂકેલી છે તો રોકાણ પર ખાસ ધ્યાન આપવાની જરુર છે.
પ્રમોટર પોતાના શેર કેમ ગીરવે રાખે છે?
જ્યારે કંપનીને પૈસાની જરુર પડે છે તો કંપની કાં તો IPO લાવે છે કાં તો નાણાકીય સંસ્થા પાસેથી લોન લે છે. લોન આપવા માટે બેંક સિક્યોરિટી માંગે છે અને આવામાં પ્રમોટર લોનની બરાબર કિંમતના શેર ગીરવે રાખીને લોન લે છે. સેબીના નિયમો અનુસાર કંપનીએ પ્રમોટરના હિસ્સાની સાથે સાથે ગીરવે રાખેલા હિસ્સાની પણ માહિતી આપવાની હોય છે. માની લો કે કોઇ કંપનીએ 1 હજાર રૂપિયાની લોન લીધી અને પ્રમોટરે 100 રૂપિયાની કિંમતના 10 શેર સિક્યોરિટી તરીકે બેંકની પાસે ગીરવે મૂક્યા છે. હવે જો શેરની કિંમત 100થી ઘટીને 50 રૂપિયા થઇ જાય તો શેરનું મૂલ્ય 500 રૂપિયા જ થઇ જશે. આવા સંજોગોમાં પ્રમોટરે લોન આપનારને 500 રૂપિયા જમા કરાવવા પડશે અથવા તો 50 રૂપિયાની કિંમતના વધુ 10 શેર ગીરવે મૂકશે. આ રીતે પ્રમોટરની ગીરવે મૂકેલી હિસ્સેદારી બેગણી થઇ જશે.
કુલ મળીને ગીરવે રાખેલા શેરોની સંખ્યા ફક્ત એક મર્યાદા સુધી જ યોગ્ય છે. જો ગીરવે રહેલા શેરોની સંખ્યા 50 ટકા કે તેથી વધુ છે અને સતત વધી રહી છે તો સતર્ક રહેવાની જરુર છે. તો કુલ મળીને વાત એમ છે કે પ્રમોટર કોઇ કંપનીના માલિક હોય છે. એવા માલિક જેમની પાસે કંપનીનો મોટો હિસ્સો હોય છે. બધા નિર્ણય તેમના હાથમાં જ હોય છે. એટલે તમારે તેમના ટ્રેક રેકોર્ડ પર નજર રાખવી જોઇએ..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો