ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદે ઓસ્ટ્રેલિયામાં પરિવારની કોલસાની ખાણો સાથે જોડાયેલી ત્રણ કંપનીઓ કારમાઈકલ રેલ અને પોર્ટ સિંગાપોર, કાર્માઈકલ રેલ સિંગાપોર અને એબોટ પોઈન્ટ ટર્મિનલ એક્સપાન્સન -ના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે તેવું બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. જોકે, તે સિંગાપોર સ્થિત કંપની એબોટ પોઈન્ટ પોર્ટ હોલ્ડિંગ્સના બોર્ડમાં યથાવત છે.
બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટે અદાણી જૂથની દેખરેખ રાખવામાં નિયમનકારો નિષ્ફળ ગયા હતા કે કેમ તેની તપાસ માટે એક સમિતિને આદેશ આપ્યો તેના થોડા દિવસો પહેલા જ આ રાજીનામું આવ્યું હતું. દરમિયાન, સેબી તપાસ કરી રહી છે કે જૂથ અને વિનોદ વચ્ચેના કેટલાક વ્યવહારો યોગ્ય રીતે જાહેર કરવામાં આવ્યા હતા કે કેમ, એમ અહેવાલમાં ઉમેર્યું હતું.
અદાણી જૂથના પ્રતિનિધિને ટાંકીને બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવાયું છે કે, વિનોદ, અમુક એન્ટિટીના શેરહોલ્ડર હોવા ઉપરાંત, કાર્માઇકલ ખાણ અથવા તેના સંબંધિત માળખાના વિકાસમાં મેનેજમેન્ટની કોઈ ભૂમિકા ન હતી.
જુઓ અન્ય રસપ્રદ વીડિયો: https://youtu.be/N2Pwb4jNt9Y
હિન્ડેનબર્ગના 24 જાન્યુઆરીના આક્ષેપ કરાયો હતો કે વિનોદ દ્વારા નિયંત્રિત ડઝનેક શેલ કંપનીઓએ અદાણી ગ્રૂપની કંપનીઓમાંથી અબજો ડોલરની લેવડ દેવડ કરી છે, જે દેખીતી રીતે શેર અને પરિણામોને સુશોભિત કરે છે.
અદાણી ગ્રૂપે સ્વીકાર્યું છે કે વિનોદ પ્રમોટર જૂથનો ભાગ છે અને કહ્યું છે કે તેણે તમામ જરૂરી ખુલાસાઓ કરેલા છે. તેણે ભાઈના વ્યવસાયિક બાબતો વિશેના પ્રશ્નોને મોટાભાગે નકારી કાઢ્યા અને કહ્યું છે કે સવાલો અપ્રસ્તુત છે કારણ કે તે જૂથની જાહેર કંપનીઓ અથવા તેમની પેટાકંપનીઓમાં મેનેજર નથી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો