Money9 Gujarati: શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગના ગૌતમ અદાણીની માલિકીવાળા અદાણી જૂથ પર કરેલા આક્ષેપોમાં મોટો ખુલાસો થયો છે. આ આક્ષેપોની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી નિષ્ણાતોની સમિતિએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે આ તબક્કે સેબી દ્વારા પુરી પાડવામાં આવેલી સ્પષ્ટતાઓ કે જેને ઇમ્પિરિકલ ડેટાનું સમર્થન મળેલું છે તેના આધારે પ્રથમદર્શી એવું કહી શકાય કે પ્રાઇસ મેનિપ્યુલેશનના આક્ષેપના સંદર્ભમાં સમિતિ માટે તે તારણ પર આવવું શક્ય નથી કે અદાણી જૂથે કોઇ નિયમનો ભંગ કર્યો છે.
એક્સપર્ટ કમિટીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે આ તબક્કે અદાણી ગ્રૂપ દ્વારા કોઇ પણ પ્રાઇસ મેનિપ્યુલેશન જણાયું નથી. કોઇ બનાવટી ટ્રેડિંગ પેટર્ન જોવા મળી નથી કે એક જ પાર્ટીઓ વચ્ચે અનેક વખત લેવડ દેવડ થઇ નથી. નિમયોનો ભંગ થતો હોય તેવી કોઇ પણ પેટર્ન જાણમાં આવી નથી.
કમિટીએ એમ પણ જણાવ્યું છે કે, આ તબક્કે કંપની દ્વારા MPS (મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ)ના નિયમનો કોઇ ભંગ થયો નથી. સમિતિએ કોર્ટને સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, બજાર નિયમનકાર સેબી એવું સાબિત કરી શકી નથી કે તેની શંકાને આધારે નિયમ ભંગના આક્ષેપોમાં કંપની સામે કાર્યવાહી કરી શકાય.
અદાણીએ રિટેલ રોકાણકારોને દિલાસો આપવા આવશ્યક પગલા લીધા છે. ઇમ્પિરિયલ ડેટા સૂચવે છે કે, 24 જાન્યુઆરી બાદ અદાણીના સ્ટોક્સમાં રિટેલ રોકાણકારોનું રોકાણ અનેકગણુ વધ્યું છે. અદાણી ગ્રૂપ દ્વારા લેવામાં આવેલા શમનકારી પગલાએ કંપનીના સ્ટોકમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરવામાં મદદ કરી છે અને કંપનીના સ્ટોક અત્યારે સ્થિર છે.
પક્ષકારોએ સોગંધ ખાઇને પુષ્ટિ કરી છે કે, FPI (ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ) રોકાણોને અદાણી ગ્રૂપ દ્વારા ભંડોળ નથી આપવામાં આવ્યું. સેબીએ સાબિત કર્યું નથી કે તેની શંકા કંપની સામે પગલા લેવા માટેના એક મજબૂત કેસમાં ફરી શકે. એક્સપર્ટ કમિટીએ એમ પણ કહ્યું છે કે એવું તારણ કાઢવું શક્ય નથી કે અદાણી ગ્રૂપના સ્ટોકમાં પ્રાઇસ મેનિપ્યુલેશન પર નિયંત્રણ મેળવવામાં સેબ નિષ્ફળ ગઇ છે કે કેમ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો