Money9: SBI જેવી ઘણી બેંકો પોતાના ગ્રાહકોને એફડી રિન્યૂ કરાવવાની સુવિધા આપી રહી છે. આ સુવિધાનો લાભ લેવાની પ્રક્રિયા એકદમ સરળ છે. જો મોહિત પોતાની એફડીને રિન્યૂ કરાવે છે તો બેંક અત્યાર સુધીના વ્યાજની ગણતરી કરશે. મોહિતે જે તારીખથી એફડી કરાવી હતી ત્યાં સુધી એક વર્ષની સ્કીમમાં જે વ્યાજ હતું તે હિસાબે રિટર્ન મળશે. ત્યાર બાદ પોતાની એફડીને ઉંચા વ્યાજ દરો પર રોકાણ કરી શકે છે. આ પ્રક્રિયામાં તેને કોઇપણ જાતની પેનલ્ટી નહીં આપવી પડે. એસબીઆઇ હાલ 3 થી 5 વર્ષની એફડી પર વાર્ષિક 6.5 ટકા વ્યાજ આપી રહી છે.
મોહિત એફડીને રિન્યૂ નથી કરાવતો, તો આવતા ચાર વર્ષમાં તેને 5 લાખ રૂપિયાના રોકાણ પર 1,09,945 રૂપિયાનું વ્યાજ મળશે. જો તે આને રિન્યૂ કરાવે છે તો 6.5 ટકાના હિસાબે ચાર વર્ષમાં 1,47,111 રૂપિયાનું વ્યાજ મળશે. આ રીતે તેને 37 હજાર રૂપિયાથી વધુનો ફાયદો થશે.
મોહિતની જેમ જો તમારી પાસે પણ કોઇ જુની એફડી છે જેની પર ઓછું વ્યાજ મળી રહ્યું છે તો તમે તેને રિન્યૂ કરાવી શકો છો. તેમાં લાંબાગાળે વ્યાજ સ્વરૂપે મોટો ફાયદો થશે. આજકાલ મોટાભાગની બેંકો એફડી રિન્યૂ કરાવવાની સુવિધા આપી રહી છે. જો તમારી બેંકમાં આ સુવિધા નથી તો પોતાની એફડીને પ્રીમેચ્યોર તોડાવીને બીજી બેંકની એફડીમાં રોકાણ કરી શકો છો.
લોનની માંગને પૂરી કરવા માટે બેંક થાપણ દરોમાં સતત વધારો કરી રહી છે. આ સિલસિલો હજુ પણ યથાવત રહેવાની શક્યતા છે. મે 2022 પછી આરબીઆઇ રેપો રેટમાં 2.25 ટકાની વૃદ્ધિ કરી ચુકી છે. આ સમયગાળા દરમિયાન એફડીના વ્યાજ દરોમાં 3 ટકા સુધીની વૃદ્ધિ થઇ છે. આરબીઆઇના આંકડા દર્શાવે છે કે ડિસેમ્બર ક્વાર્ટરમાં બેંકોનો લોન આપવાનો ગ્રોથ વાર્ષિક ધોરણે 16.8 ટકા હતો જ્યારે આ સમયગાળામાં થાપણોમાં ફક્ત 10.3 ટકાની જ વૃદ્ધિ થઇ હતી. ડિપોઝિટની તુલનામાં લોનની માંગ વધવાથી એફડી પર વ્યાજ દરોમાં વૃદ્ધિ જોવા મળી શકે છે.
આવા સંજોગોમાં એફડીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પ્લાનિંગ સાથે કરો. મોટી રકમ છે તો તેનું ટુકડામાં રોકાણ કરો. રોકાણની મુદત અલગ-અલગ રાખો. આનાથી તમને વધતા વ્યાજ દરોનો લાભ મળતો રહેશે. સાથે જ પૈસાની લિક્વિડીટી પણ જળવાશે. વળી જરુરિયાતના સમયે આ પૈસાનો સરળતાથી ઉપયોગ પણ કરી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો