Money9: જો તમે દર મહિને કપાતા PFના પૈસાને બોજ સમજો છો તો કદાચ તમે ભૂલ કરો છો. તમારી સેલેરીમાંથી કપાતા આ પૈસા તમારા જ છે. બસ તમને મળશે બાદમાં એટલે કે રિટાયર થશો ત્યારે. આવુ કેમ? તે સમજો.. નોકરી દરમિયાન તો તમે કમાઓ છો અને ખર્ચ કરતા જાઓ છો. દર મહિને હાથમાં પૈસા આવી રહ્યા છે તો ચિંતા પણ નથી રહેતી. કમાઓ અને ખર્ચ કરો. પરંતુ કમાઓ અને ખર્ચ કરોની વચ્ચે સરકારે જોડ્યું છે, રિટાયરમેન્ટ માટે બચત કરો સૂત્ર. અને નોકરિયાત લોકો માટે એ કામ કરે છે પ્રોવિડંટ ફંડ એટલે કે PF.
EPFOના નિયમો
સરકાર તરફથી નોકરિયાત લોકોની સેલેરીમાંથી પીએફની રકમ કાપવામાં આવે છે અને આ રકમ કર્મચારીના નામે દર મહિને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOમાં જમા થાય છે. દરેક સેલેરીડ વ્યક્તિનું EPFO એકાઉન્ટ હોય છે જેના એકાઉન્ટ નંબરને કહે છે યૂનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે UAN. જેટલા વર્ષ તમે નોકરી કરશો એક જ એકાઉન્ટ ચાલતું રહેશે. નિયમો હેઠળ એવી બધી કંપની અને સંસ્થા જેમાં 20 કે તેથી વધુ કર્મચારી છે તે EPFO હેઠળ આવે છે. દરેક કંપનીએ 15 હજાર રૂપિયા સુધીની બેઝિક સેલેરીવાળા કર્મચારીને પીએફ યોજનામાં સામેલ કરવા અનિવાર્ય છે. કંપની ઇચ્છે તો આનાથી ઉપરની સેલેરીવાળાને પણ સામેલ કરી શકે છે.
EPFOમાં કર્મચારીની બેઝિક સેલેરીના 12 ટકા PF ખાતામાં જમા થાય છે. સાથે જ એમ્પ્લોયરે પણ બેઝિકના 12 ટકાનું યોગદાન કરવું અનિવાર્ય છે. એમ્પ્લોયરના યોગદાનમાં 3.67% EPFમાં જમા થાય છે અને 8.33% પેન્શન સ્કીમમાં જાય છે. બન્ને રકમ રિટાયરમેન્ટ સમયે કર્મચારીને મળે છે.
જે સંસ્થામાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ એટલે કે ડીએ મળે છે ત્યાં બેઝિક સેલેરીની સાથે ડીએને પણ પીએફ કપાત માટે સામેલ કરવામાં આવે છે. સરકારી નોકરી કરનારાને DA મળે છે. ભવ્યાનું PF બેઝિક સેલેરી પર કપાય છે. કોસ્ટ ટુ કંપની એટલે કે સીટીસીના આધારે નિયુક્ત થનારા કર્મચારીનું PF સીટીસીમાં જ સામેલ હોય છે.
ભવ્યાનું વાર્ષિક સીટીસી 12 લાખ રૂપિયા અને મંથલી બેઝિક સેલેરી 45,834 રુપિયા છે. આ કારણે તેનું પીએફ 5500 રૂપિયા બને છે. કંપની તરફથી પણ 5500 રુપિયા તેમની સીટીસીમાંથી કપાશે. આ રીતે ભવ્યા પોતાના એમ્પ્લોયરની સાથે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે દર મહિને 11,000 રૂપિયાની બચત કરશે. પીએફ પર હાલ વાર્ષિક 8.1 ટકાના દરે વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. જો આપણે એમ માનીએ કે ભવ્યા 30 વર્ષ બાદ રિટાયર થશે અને સરકારનું વ્યાજ 8.1 ટકા પર જ યથાવત રહેશે. તો રિટાયરમેન્ટ સુધી 1 કરોડથી વધુ રકમ તે પીએફ એકાઉન્ટમાં જમા કરી લેશે. આ એક રફ કેલ્ક્યુલેશન છે કારણ કે 30 વર્ષ સુધી આ જ સેલેરી નહીં રહે અને PFનું વ્યાજ પણ દર વર્ષે રિવ્યૂ થાય છે.
પીએફમાં વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ઇનકમ ટેક્સમાં છૂટનો લાભ મળે છે. એટલું જ નહીં, રિટાયરમેન્ટના સમયે મળનારી પૂરી રકમ ટેક્સ ફ્રી હોય છે. તમારુ એમ્પ્લોયી પ્રોવિડંટ ફંડ મેચ્યોર ત્યારે થશે જ્યારે તમે રિટાયર થશો. પરંતુ તેની પહેલા પણ તમે તેમાંથી પૈસા ઉપાડી શકો છો.
નોકરી જવાની સ્થિતિમાં જો એક મહિના સુધી બેરોજગાર રહીએ તો PF માંથી 75 ટકા રકમ કાઢી શકાય છે. બાકી 25 ટકા રકમ જમા રહે છે અને નોકરી મળે ત્યારે તે ખાતુ આગળ વધશે. ગંભીર બીમારી, ઘર ખરીદવા કે બનાવવા અને ઉચ્ચ શિક્ષણ માટે PFથી આંશિક ઉપાડ કરી શકાય છે. નિયમો હેઠળ પાંચ વર્ષ પહેલા પીએફમાંથી ઉપાડ પર ટેક્સ લાગે છે પરંતુ નોકરી જવાની સ્થિતિમાં આ ટેક્સ નથી લાગતો.
ભવ્યા હવે નિરાંતનો શ્વાસ લઇ રહી છે તેના રિટાયરમેન્ટને લઇને. દરમહિને તેના પગારનો એક હિસ્સો રિટાયરમેન્ટ માટે જમા થઇ રહ્યો છે. અને તે પણ એવી જગ્યાએથી જ્યાં સરકારની ગેરંટીની સાથે સાથે સારુ રિટર્ન પણ મળી રહ્યું છે. પરંતુ પીએફની પઝલ હજુ સંપૂર્ણ રીતે સોલ્વ નથી થઇ. ત્યારે શું થશે જ્યારે ભવ્યા નોકરી બદલશે. કંપની A થી કંપની Bમાં સ્વિચ કરશે. ત્યારે આ પીએફ એકાઉન્ટનું શું થશે. માની લો કે ભવ્યાએ જોબમાં એક વર્ષનો બ્રેક લઇ લીધો ત્યારે શું થશે. આ તમામ સવાલોના જવાબ અમે આપીશું પીએફ પઝલના નેકસ્ટ વીડિયોમાં..એટલા માટે જોતા રહો મની9.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો