મુશ્કેલીમાં મુકાયેલી એડટેક કંપની બાયજુએ મોટો નિર્ણય લેતા તેની બેંગલુરુની IBC નોલેજ પાર્ક સ્થિત હેડક્વાર્ટર સિવાય દેશભરમાં તેની તમામ ઓફિસો બંધ કરી દીધી છે. તમામ કર્મચારીઓને જરૂરીયાત મુજબ ઘરેથી કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રોકાણકારો સાથે વિવાદમાં ફસાયેલી કંપની તેના લગભગ 20 હજાર કર્મચારીઓને પગાર ચૂકવવામાં નિષ્ફળ રહી હતી. ત્યારબાદ ખર્ચમાં કાપને કારણે બાયજુએ આ મોટું પગલું ભર્યું છે. માત્ર બાયજુના ટ્યુશન સેન્ટરો જ ચાલુ રહેશે. તેનાથી કંપનીને ઘણા પૈસા બચાવવામાં મદદ મળશે.
(2)
ફિનટેક એપ Paytmને NPCIએ મલ્ટિ-બેંક મોડલ હેઠળ UPI સિસ્ટમમાં થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર તરીકે ભાગ લેવા માટે મંજૂરી મળી છે. RBI દ્વારા Paytm પેમેન્ટ બેંક પર પ્રતિબંધ લગાવ્યા બાદ NPCI દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંકના આદેશ અનુસાર, Paytm પેમેન્ટ બેંકે 15 માર્ચ સુધી તેના તમામ કામકાજ બંધ કરવાના હતા. NPCI એ જણાવ્યું હતું કે Axis Bank, HDFC Bank, State Bank of India અને Yes Bank, Paytm માટે પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર એટલે કે PSP બેંકો તરીકે કામ કરશે. One97 Communications Limited સાથે સંકળાયેલા હાલના અને નવા UPI, વેપારીઓ માટે યસ બેંક મર્ચન્ટ એક્વિઝિશન બેંક તરીકે પણ કાર્ય કરશે.
(3)
ઓનલાઈન ઈ-કોમર્સ પોર્ટલ મીશો લગભગ 1700 ભૂતપૂર્વ અને વર્તમાન કર્મચારીઓ પાસેથી શેર બાયબેક કરવા જઈ રહી છે. જેના માટે કંપનીએ લગભગ 200 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. બુધવારે આ માહિતી આપતા કંપનીએ કહ્યું કે જુનિયર લેવલથી લઈને સિનિયર લેવલ સુધીના તમામ પાત્ર કર્મચારીઓ તેમની ઈચ્છા મુજબ તેમાં ભાગ લઈ શકે છે. તમામ વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓ આમાં ભાગ લઈ શકશે. મીશોના જણાવ્યા અનુસાર, આ કંપનીનો અત્યાર સુધીનો સૌથી મોટો ESOP બાયબેક પ્રોગ્રામ બની ગયો છે. મીશોની સફળતામાં તેના ટીયર-2 અને તેની નીચેલા લેવલના શહેરોનો મહત્વનો રોલ છે. કંપનીની 50 ટકાથી વધુ રેવન્યૂ અહીંથી જ આવે છે.
(4)
ટાટા ગ્રુપની ઓટો કંપની ટાટા મોટર્સે તમિલનાડુ સરકાર સાથે એક મોટો કરાર કર્યો છે. ટાટા મોટર્સની તમિલનાડુમાં ગાડીઓનું મેન્યુફેક્ચરિંગ યૂનિટ લગાવવાની યોજના છે. આ પ્લાન્ટ પર કંપની આગામી પાંચ વર્ષમાં નવ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિન અને ટાટા મોટર્સ ગ્રુપના સીએફઓ પી.બી. બાલાજીએ એક MOU પર હસ્તાક્ષર કર્યા હતા. તમિલનાડુની નોડલ એજન્સી ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન અને ટાટા મોટર્સ ગ્રુપ સાથે મળીને પ્રોજેક્ટને આગળ વધારવા માટે કામ કરશે. શેરબજારને આપવામાં આવેલી માહિતી અનુસાર, આ મેન્યુફેક્ચરિંગ યુનિટ અંદાજે પાંચ હજાર પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કરશે.
(5)
ફ્રેન્ચ કાર મેન્યુફેક્ચરિંગ કંપની સિટ્રોનનું કહેવું છે કે કંપની ભારતમાં તેના સેલ્સ નેટવર્કને ટિયર-1 અને ટિયર-2 શહેરો સુધી વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કંપનીનું કહેવું છે કે આ વર્ષના અંત સુધીમાં કંપની ભારતમાં આઉટલેટ્સની સંખ્યા વધારીને 200 કરવા જઈ રહી છે. આ નિર્ણય બાદ કંપનીના હાલના આઉટલેટ ત્રણ ગણા થઈ જશે. કંપનીએ સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે કંપની શહેરી, અર્ધ-શહેરી અને ગ્રામીણ બજારોમાં ડીલરશીપની સંખ્યામાં વધારો કરશે. હાલમાં કંપની દેશમાં 58 આઉટલેટ ચલાવે છે, જેની સંખ્યા વર્ષના અંત સુધીમાં વધારીને 200 કરવાની યોજના છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો