બે મહિના પછી ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ પ્રૂફ આપવા પડશે... જો પ્રૂફ નહીં હોય તો ટેક્સ કપાશે... શું તમે હજુ સુધી ફાઈનાન્શિયલ યર 2023-24 માટે તમારું ટેક્સ પ્લાનિંગ નથી કર્યું? તો હવે આ કામમાં વ્યસ્ત થઈ જાવ… પરંતુ તે પહેલા ચાલો જાણીએ ટેક્સ પ્લાનિંગની કેટલીક મહત્વની સ્ટ્રેટેજી વિશે… જે તમને ટેક્સ પ્લાનિંગમાં મદદ કરશે…
જેવી રીતે તમારી આવક પર ટેક્સ લાગે છે, તેવી જ રીતે તમારે વ્યાજની આવક પર પણ ટેક્સ ચૂકવવો પડે છે.. કરોડો લોકો સેવિંગ્સ એકાઉન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટ, પોસ્ટ ઑફિસ સ્કીમ્સ, રિકરિંગ ડિપોઝિટ એટલે કે RD અને બોન્ડ્સમાં રોકાણ કરે છે. ...આ રોકાણ પર વ્યાજ મેળવે છે. વ્યાજમાંથી મેળવેલા નાણાં ટેક્સના દાયરામાં આવે છે..
આવકવેરા કાયદાની જોગવાઇઓ અનુસાર, કોઇ કર્મચારીને કંપની પાસેથી કેશ કે પછી એકાઉન્ટમાં પૈસા મળે છે તો તેને Income From Salary એટલે કે પગારમાંથી થયેલી કમાણી માનવામાં આવશે. બોનસની રકમ કર્મચારીના પગારમાં સામેલ કરવામાં આવશે... કર્મચારીની આવક જે ટેક્સ સ્લેબમાં આવશે તે મુજબ ટેક્સ ભરવાનો રહેશે
સામાન્ય રીતે, ભાડાની રકમ પર ડિડક્શનનો ક્લેમ કરવા માટેની શરત એ છે કે તમને કંપની તરફથી HRA મેળવું જોઈએ.. જો કે, આવકવેરા કાયદાની કલમ 80GG હેઠળ કંપની પાસેથી HRA ના મળતું હોય તો પણ ભાડાની રકમ પર ડિડક્શન ક્લેમ કરી શકાય છે..
હોમ લોનના પ્રિન્સિપલ રીપેમેન્ટ પર સેક્શન 80C હેઠળ ડિડક્શન મળે છે. 80Cમાં મહત્તમ દોઢ લાખ રૂપિયા સુધીનું ડિડક્શન લઈ શકાય છે
લગ્નમાં સ્થાવર અને જંગમ એમ બંને મિલકત ભેટ તરીકે આપવામાં આવે છે. શેર્સ, ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD, મ્યુચ્યુઅલ ફંડ અને જ્વેલરી જંગમ છે. જ્યારે જમીન, મકાન, ફ્લેટ વગેરે સ્થાવર મિલકત હેઠળ આવે છે.
જો તમે હોમ લોન લઇને ઘર ખરીદો છો..તો લોનના વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધી અને પ્રિન્સિપલ પર 80સી હેઠળ ડિડક્શન મળે છે. એટલું જ નહીં કોઇ એસેટને વેચવાથી થતી કમાણીને પણ ઘર ખરીદીને ટેક્સ બચાવી શકાય છે.
RBI, સરકાર તરફથી સોવરિન ગોલ્ડ બોન્ડ બહાર પાડે છે. સરકારી ગેરંટીની સાથે આવવાના કારણે તેમાં ડિફોલ્ટનું જોખમ સીમિત એટલે કે નહીંવત છે. સોવરિન ગોલ્ડ બોન્ડ બીજા સરકારી બોન્ડ જેવા નથી. તેના દરેક યૂનિટ 999 પ્યોરિટી એટલે કે 24 કેરેટવાળા એક-એક ગ્રામ સોનાથી લિંક હોય છે.
આવકવેરા કાયદા 1961 હેઠળ એક નાણાકીય વર્ષમાં 50 હજાર રૂપિયાથી વધુ ગિફ્ટ મળવા પર ટેક્સ ચૂકવવો પડે છે. ટેક્સ ગિફ્ટ લેનાર વ્યક્તિએ ચૂકવવો પડે છે.
એલિમનીનો અર્થ ભરણપોષણ છે. આ એક પ્રકારની નાણાકીય સહાય છે, જે છૂટાછેડા પછી પતિ દ્વારા પત્નિને જીવનનિર્વાહમાં મદદ માટે આપવામાં આવે છે.. છૂટાછેડાની પ્રક્રિયામાં ભરણપોષણ એક મહત્વપૂર્ણ પાસું છે... આવી સ્થિતિમાં, એ સમજવું જરૂરી છે કે એલિમનીનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવામાં આવે છે અને શું તેના પર ટેક્સ વસૂલવામાં આવે છે? ચાલો જાણીએ..