Money9: ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ અથવા DAAF ને બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ પણ કહેવાય છે…આ એક હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સ છે જે ઇક્વિટી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે…જ્યારે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડની વાત આવે છે, તો ફંડ હાઉસની પાસે એ સ્વતંત્રતા હોય છે કે તે માર્કેટના વલણના હિસાબે એલોકેશનમાં ફેરફાર કરી શકે છે. એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા એટલે કે AMFIના મતે, DAAF માં, ફંડ હાઉસ પોતાની રીતે 100 ટકા સુધી એટલે કે પૂરી રકમ ઇક્વિટીમાં રોકાણ કરી શકે છે. જ્યારે તેને લાગે છે કે માર્કેટમાં ઘટાડો આવી શકે છે તો તે 100 ટકા સુધી રકમને ડેટ ફંડમાં લગાવી શકે છે.
DAAF માં, ફંડ મેનેજરો બારીકાઇથી રોકાણ પર નજર રાખે છે…ફંડ મેનેજર માર્કેટ રિસર્ચ અને એનાલિસિસ કરે છે અને સ્કીમમાં રોકાણના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને ઇક્વિટી અથવા ડેટ એક્સપોઝરમાં ફેરફાર કરે છે. વધતા વેલ્યૂએશનની સાથે જ્યારે માર્કેટ ઓલ-ટાઇમ હાઇ પર હોય છે તો ફંડ મેનેજર ડેટ ફંડમાં રોકાણ કરવાનું વિચારી શકે છે. પરંતુ જ્યારે બજાર નીચલા સ્તરે હોય તો ફંડ મેનેજર ઇક્વિટીમાં એક્સપોઝર વધારી શકે છે. કોઇપણ રોકાણમાં રિટર્ન સૌથી મહત્વપૂર્ણ પાસું હોય છે.
Ace મ્યુચ્યુઅલ ફંડના 11 માર્ચ, 2024ના ડેટા અનુસાર, DAAFમાં છેલ્લા એક વર્ષમાં સરેરાશ 22.66 ટકા.. ત્રણ વર્ષમાં 10.10 ટકા… અને 5 વર્ષમાં 10.17 ટકાનું એવરેજ રિટર્ન મળ્યું છે. શ્રીરામ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડે છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ 29.73 ટકા રિટર્ન આપ્યું છે…જ્યારે મોતીલાલ ઓસવાલ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડે ગયા વર્ષે 26.78 ટકાનું રિટર્ન આપ્યું છે.
હવે સવાલ એ છે કે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડમાંથી થતી કમાણી પર કેવી રીતે ટેક્સ લાગે છે… આ ફંડ ઈક્વિટી કેટેગરીમાં આવે છે… જો કોઇ ઈક્વિટી ફંડના યુનિટને એક વર્ષની અંદર વેચવામાં આવે છે તો તેના પર મળતા રિટર્નને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન એટલે કે STCG માનવામાં આવે છે. આ રિટર્ન પર 15 ટકાના દરે ટેક્સ લાગે છે. એ જ રીતે, ઇક્વિટી ફંડના યૂનિટને ઓછામાં ઓછા એક વર્ષ બાદ વેચવા પર જે નફો થાય તેને લોંગ ટર્મ કેપિટલ ગેઇન એટલે કે LTCG ગણવામાં આવે છે. ઇક્વિટી ફંડમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન થવા પર 10 ટકાનો ટેક્સ લાગે છે… પરંતુ રાહતની વાત એ છે કે આ ટેક્સ ત્યારે જ લાગે છે જ્યારે કોઇ રોકાણકારને એક નાણાકીય વર્ષમાં 1 લાખ રૂપિયાથી વધુનો ફાયદો થયો હોય. એટલે કે ઈક્વિટીમાં 1 લાખ રૂપિયા સુધીનો નફો ટેક્સ ફ્રી છે.
હવે એ જાણીએ કે શું તમારે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડમાં રોકાણ કરવું જોઈએ? જો ઇક્વિટી માર્કેટ વોલેટાઇલ હોય તો ડાયનેમિક એસેટ એલોકેશન ફંડમાં રોકાણ કરવું સારો વિકલ્પ સાબિત થઈ શકે છે કારણ કે આ ફંડ રોકાણકારોના જોખમ પર ચાંપતી નજર રાખે છે અને જોખમ હોવા છતાં રિટર્ન વધારવાની ક્ષમતા ધરાવે છે. ખાસ વાત એ છે કે શેરબજારમાં મોટા ઘટાડા દરમિયાન, ડેટ અને ડેરિવેટિવ એક્સપોઝરને કારણે DAAF માં પ્યોર ઇક્વિટી ફંડ્સની સરખામણીમાં ઓછું નુકસાન થાય છે. આવી સ્થિતિમાં, DAAF રોકાણકારની મૂડીમાં વધારો કરવાની સાથે સાથે રોકાણકારોના નાણાંને બચાવવાનો પણ પ્રયાસ કરે છે.
ફિનવાઇઝરના ફાઉન્ડર અને સીઇઓ જય શાહ કહે છે કે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડમાં ફંડ મેનેજરને એલોકેશનની સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે. તે જરૂરીયાત પડે ત્યારે ઇક્વિટીથી ડેટ અને ડેટથી ઇક્વિટીમાં એક્સપોઝર વધારી શકે છે. અને તે પણ કોઈપણ જાતની ટેક્સ ઇમ્પ્લીકેશન્સ વગરે..એટલે કે રોકાણમાં ટેક્સના મોરચે કોઇ ફેરફાર નહીં આવે. જે લોકો બજારના ઉતાર-ચડાવના જોખમ ઘટાડવા માગે છે તેમના માટે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ રોકાણનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
જે રોકાણકાર પોતાના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા માંગે છે, તેમના માટે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ સારો વિકલ્પ છે. આ ફંડ વધુ રિસ્ક-રિવોર્ડ રેશિયો ઓફર કરે છે. જેનાથી આ રોકાણમાં ડેટ ફંડની સરખામણીએ વધુ કમાણીની આશા વધી જાય છે. DAAF માં રોકાણ કરવા માટે ઓછામાં ઓછો ત્રણ વર્ષનો દ્રષ્ટિકોણ હોવો જોઈએ. ધ્યાન રાખો કે ઇક્વિટીમાં એક્સપોઝરને કારણે, આ રોકાણમાં જોખમ લેવા માટે પણ તૈયાર રહો. એકંદરે, જે લોકો મધ્યમથી ભારે જોખમ લેવા તૈયાર છે તેમના માટે DAAF એક સારો વિકલ્પ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો