મિસ્ટર દિલીપ એક જાણીતી કંપનીમાં કામ કરે છે અને સારી કમાણી કરે છે. છેલ્લા એક વર્ષથી ઘર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ક્યારેક પ્રોપર્ટીના ભાવમાં વધારાની વાત સાંભળીને તો ક્યારેક વ્યાજદરમાં વધારાની વાત સાંભળીને પોતાના હાથ પાછા ખેંચી લે છે. તેમની દુવિધા વધી રહી છે. સમજાતું નથી કે સપનાનું ઘર ખરીદવું તો ક્યારે ખરીદવું. હમણાં ખરીદવું કે રાહ જોવી. છેવટે, ઘર ખરીદવાનો યોગ્ય સમય છે તો છે કયો?
અત્યારે પ્રોપર્ટીના ભાવ આસમાને છે. હોમ લોનના વ્યાજ દરો પણ ઊંચા છે. આવી સ્થિતિમાં ઘર ખરીદવા જેવો મોટો નાણાકીય નિર્ણય લેવો એક મોટો પડકાર બની જાય છે. દિલીપ જેવા ઘર ખરીદનારા ઘણીવાર એવા વિચારમાં અટવાઇ જાય છે કે ઘર ખરીદવાનો યોગ્ય સમય કયો છે? પ્રોપર્ટી ખરીદવા માટે કોઈ સેટ રૂલ નથી. જેને ફૂલફિલ કરીને તમે ડ્રિમ હોમનું સપનું પૂર્ણ કરી શકો. પરંતુ કેટલાક ફેક્ટર્સ જરૂર છે. જેની મદદથી તમે એ વાતનો નિર્ણય કરી શકો છો કે ક્યારે તમે ઘર ખરીદી શકો છો. આવો જાણીએ તેના વિશે.
દરેક માર્કેટમાં એક સાયકલ હોય છે. ક્યારેક બજારમાં ભાવ વધે છે તો ક્યારેક મંદી. તેવી જ રીતે, રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ સાયકલ આવે છે. ક્યારેક એવું થાય છે જ્યારે પ્રોપર્ટીના ભાવ એક ચોક્કસ સમયગાળા દરમિયાન નીચા અથવા સ્થિર રહે છે. આ પ્રકારનો સમયગાળો સસ્તી કિંમતે મકાન ખરીદવા માટે સારો ગણાય છે. વર્ષ 2013 થી 2020 સુધી રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદી હતી. પરંતુ, છેલ્લા બે વર્ષમાં – વર્ષ 2022 અને 2023 -માં પ્રોપર્ટીના ભાવ ગણા વધ્યા છે.
પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનારોકનો રિપોર્ટ જણાવે છે કે વર્ષ 2023માં દેશના 7 મોટા શહેરોમાં મકાનોની કિંમતમાં વાર્ષિક ધોરણે 10 થી 24 ટકાનો વધારો થયો છે. તેનું કારણ મકાનોની મજબૂત માંગ છે. હૈદરાબાદમાં ઘરની કિંમતોમાં સૌથી વધુ 24 ટકાનો ઉછાળો નોંધાયો છે.
આ વાત તો થઇ વર્ષ 2023ની. હવે વાત કરીએ વર્ષ 2024ની. રિયલ એસ્ટેટ બજારના નિષ્ણાતોનું માનીએ તો વર્ષ 2024માં પણ મકાનોની માંગમાં તેજી જોવા મળશે અને પ્રોપર્ટીના ભાવમાં 10 થી 12 ટકાનો વધારો થઈ શકે છે. માંગને ધ્યાનમાં લેતા કિંમતોમાં વધારાનો તબક્કો 2 થી 3 વર્ષ સુધી ચાલી શકે છે. આવી સ્થિતિમાં, અત્યારે ઘર ખરીદવું વધુ સારું છે. કારણ કે તમે જેટલો વિલંબ કરશો તેટલી જ ઘરની કિંમત વધતી જશે.
ઘર ખરીદવામાં બીજું મહત્ત્વનું ફેક્ટર વ્યાજ દર છે. મોટાભાગના મકાનો લાંબા ગાળાની લોન એટલે કે હોમ લોનની મદદથી ખરીદવામાં આવે છે. ફુગાવાને અંકુશમાં લેવા માટે રિઝર્વ બેંકે મે 2022થી ફેબ્રુઆરી 2023 ની વચ્ચે રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો છે. જેના કારણે 7 ટકાથી નીચે ચાલી રહેલો હોમનો વ્યાજ દર વધીને હવે 8.50 થી 10 ટકાની વચ્ચે છે. છેલ્લા 5 વખતથી રેપો રેટમાં કોઈ ફેરફાર નથી થયો.
મોંઘવારી હવે ઘણી નીચે આવી ગઈ છે. આમાં ઝડપી વૃદ્ધિની કોઈ શક્યતા પણ નથી દેખાતી. આ જ કારણ છે કે મોટાભાગના નિષ્ણાતો માને છે કે RBI 2024 ના બીજા ક્વાર્ટરથી અથવા કદાચ જૂન-જુલાઈથી રેપો રેટ ઘટાડવાનું શરૂ કરી શકે છે. જેનાથી બેંકો પણ વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરશે. વર્ષ 2024માં વ્યાજ દરમાં 0.50 થી 1.25 ટકાની વચ્ચે ઘટાડો થવાનો અંદાજ વ્યક્ત કરાઇ રહ્યો છે. આવી સ્થિતિમાં વ્યાજદરમાં ઘટાડાની સાથે હોમ લોનની EMI પણ ઘટી જશે.
પ્રોપર્ટીની કિંમતો અને વ્યાજ દર, બે એવા પરિબળો છે. જેના પર તમારું કોઇ નિયંત્રણ નથી. પ્રોપર્ટીના વધતા ભાવ અને ઊંચા વ્યાજ દરો વચ્ચે નવું ઘર ખરીદનારાઓએ શું કરવું જોઈએ? આ અંગે જાણીએ નિષ્ણાતનો અભિપ્રાય.
હવે આપણે જે ફેક્ટર્સની વાત કરવા જઈ રહ્યા છીએ તે ઘર ખરીદવામાં તેઓ સૌથી મહત્વપૂર્ણ છે. અને તે તમારા નિયંત્રણમાં પણ છે. ઘરનું સપનું પૂર્ણ કરવામાં હોમ લોન ખૂબ જ મદદરૂપ થાય છે. પરંતુ તમને ખબર હોવી જોઈએ કે બેંક તમારા ઘર માટે પૂરા પૈસા ફાઇનાન્સ નથી કરતી.
બેંકો સામાન્ય રીતે પ્રોપર્ટીની કિંમતના 70 થી 80 ટકા જ ધિરાણ કરે છે. મોટામોટું 20 થી 30 ટકા રકમ તમારે ડાઉન પેમેન્ટ તરીકે પોતાના ખિસ્સામાંથી ચૂકવવી પડશે. ઘર ખરીદવા વિશે ત્યારે જ વિચારો. જ્યારે તમારી પાસે પૂરતું ડાઉન પેમેન્ટ હોય. તમે જેટલું વધુ ડાઉન પેમેન્ટ કરશો લોનનો એકંદર બોજ એટલો ઓછો થશે.
ઘર ખરીદવું એ લાંબા ગાળાનો નાણાકીય સોદો છે. શું તમે આટલા લાંબા સમયગાળા માટે એટલે કે 20, 25 કે 30 વર્ષ સુધી હોમ લોનની EMI કોઈપણ મુશ્કેલી વિના ચૂકવી શકો છો કે નહીં. તે જરૂર તપાસો. તમારા પગારનો નોંધપાત્ર હિસ્સો EMIમાં જતો રહે છે. લોન EMI એ તમારી ટેક હોમ એટલે કે હાથમાં આવનારી કમાણીના 30 થી 40 ટકાથી વધુ ન હોવી જોઈએ.
તમારી આવકને અવગણીને તમારી ક્ષમતા કરતાં વધુ લોન લેવાના ઘણા ગેરફાયદા છે. આ તમને ઘરના ખર્ચાઓ, બાળકના શિક્ષણ વગેરે જેવા મહત્વપૂર્ણ ખર્ચાઓ પર કાપ મૂકવા માટે મજબૂર કરી શકે છે. EMIનો ભારે બોજ તમને બચત કરતા રોકી શકે છે. બચત તોડવા માટે પણ દબાણ કરી શકે છે. આ વાત મની9ના પર્સનલ ફાઇનાન્સ સર્વેમાં પણ સામે આવી છે.
દેશનો સૌથી મોટો પર્સનલ ફાઇનાન્સ સર્વે. જેમાં 35 હજારથી વધુ ભારતીય પરિવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં 67 ટકા ભારતીય પરિવારોએ તેમની બચત એટલે કે સેવિંગ્ઝ તોડી. તેમાંથી 8.2 ટકા પરિવારોએ લોન ચૂકવવા માટે તેમની બચત ગુમાવી દીધી.
એક વાત હંમેશા ધ્યાનમાં રાખો કે તે હોમ લોન હોય કે પર્સનલ લોન. EMIને એટલી જ રાખો કે તમારા જરૂરી ખર્ચાઓ, બચત અને રોકાણ ન તો બંધ થાય કે ન તોડવા પડે.
ઘર ખરીદતા પહેલા તમારો ક્રેડિટ અથવા CIBIL સ્કોર જરૂર તપાસો. સારો ક્રેડિટ સ્કોર લોનના વ્યાજ દરોને લઇને સારી ડીલ અપાવવામાં તમારી મદદ કરી શકે છે. CIBIL સ્કોર જેટલો ઊંચો હશે, તમારી પાસે બેંક સાથે સોદાબાજી કરવાની તાકાત એટલી વધારે હશે.
ખરાબ ક્રેડિટ સ્કોર ધરાવતી વ્યક્તિની સરખામણીમાં સારો ક્રેડિટ સ્કોર ધરાવતી વ્યક્તિને વ્યાજ દરમાં 1 ટકા સુધીની છૂટ મળી શકે છે. સંપૂર્ણ રીપેમેન્ટ ટેન્યોર દરમિયાન વ્યાજ દરમાં એક નાનો તફાવત તમારા ઘણા પૈસા બચાવી શકે છે. 750 પોઈન્ટથી ઉપરનો CIBIL સ્કોર સારો માનવામાં આવે છે.
દિલીપની જેમ તમે પણ આ 6 ફેક્ટર પર ધ્યાન આપીને જોઇ શકો છો કે તમારો ઘર ખરીદવાનો યોગ્ય સમય અત્યારે છે કે નહીં? સૌથી મહત્ત્વનું પરિબળ એ છે કે તમે નાણાકીય રીતે કેટલા તૈયાર છો. જો તમારી પાસે પર્યાપ્ત ડાઉન પેમેન્ટ છે. સમયસર લોનની EMI ચૂકવી શકો છો. તો તમે ઘર ખરીદી શકો છો. તમે ફાઇનાન્સિયલી જેટલા મજબૂત હશો વ્યાજદર અને પ્રોપર્ટીની કિંમતોની અસર એટલી ઓછી થશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો