નવી નોકરીઓમાં ઘટાડાના સંકેત
રાષ્ટ્રીય પેન્શન યોજના અપનાવનારા કેન્દ્ર સરકાર અને જાહેર ક્ષેત્રના એકમોના કર્મચારીઓની સંખ્યા મે મહિનામાં ઘટીને 5 મહિનાના નીચલા સ્તરે આવી ગઇ છે. નેશનલ સ્ટેટેસ્ટીકલ ઓર્ગેનાઇઝેશનના તાજેતરના આંકડા અનુસાર કેન્દ્રના કર્મચારીઓની NPSમાં માસિક સબ્સ્ક્રાઇરોની સંખ્યા મે મહિનામાં 42.5 ટકા ઘટીને 10,081 રહી ગઇ છે. આ એપ્રિલ 2023માં 17,459 હતી. આ અગાઉ ડિસેમ્બર 2022માં NPSમાં 9,705 નવા સબ્સ્ક્રાઇબર જોડાયા હતા. આનાથી જાહેર ક્ષેત્રમાં ઔપચારીક રીતે નવી ભરતીઓમાં ઘટાડાના સંકેત મળી રહ્યા છે.
ચોખા ખરીદવા માટે લાઇનો લાગી
દુનિયા પર દેખાવા લાગી છે ભારતની નોન-બાસમતી ચોખા પર લગાવેલા પ્રતિબંધની અસર..સૌથી વધુ અસર અમેરિકા પર જોવા મળી રહી છે. અમેરિકામાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર પર ચોખાની ખરીદી અચાનક વધી ગઇ છે. ત્યાં રહેતા ભારતીયો અને અન્ય એશિયન દેશોના લોકો ચોખાનો સંગ્રહ કરવા લાગ્યા છે. જેને ધ્યાનમાં લઇને ડિપાર્ટનેન્ટલ સ્ટોર્સે ચોખાનું રેશનિંગ શરૂ કરી દીધું છે. અહીં એક પરિવારને ફક્ત એક બેગ જ આપવામાં આવી રહી છે. ઘણાં સ્ટોર્સ પર તો ચોખાનો સ્ટોક જ સમાપ્ત થઇ ગયો છે. ભારતમાંથી ચોખાની નિકાસ બંધ થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ચોખાના ભાવ વધવાના શરૂ થઇ ગયા છે.
રિટેલ મોંઘવારીમાં થઇ શકે વધારો
ટામેટા અને શાકભાજીના કારણે જુલાઇમાં વધી શકે છે રિટેલ મોંઘવારી..અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જુલાઇમાં રિટેલ મોંઘવારી દર વધીને 6.5 ટકા સુધી પહોંચી શકે છે. અગાઉ જૂનમાં મોંઘવારી દર વધીને 4.81 ટકા થઇ ચૂક્યો છે. જો રિટેલ મોંઘવારી વધે છે તો આરબીઆઇ સખત પગલા લઇ શકે છે. કારણ કે મોંઘવારી ઘટતી જોઇને આરબીઆઇએ છેલ્લા બેવારની પોલિસીમાં રેપો રેટમાં કોઇ ફેરફાર નહોતો કર્યો. પરંતુ વધતી મોંઘવારી જોઇને આરબીઆઇ રેપો રેટમાં વધારો કરી શકે છે.
ઇન્ટરનેટ બંધથી મળશે છુટકારો
અફવાઓને રોકવા માટે ઇન્ટરનેટ બ્લેકઆઉટની સમસ્યાથી હવે જલદી છુટકારો મળી શકે છે. ટેલીકોમ નિયામક ટ્રાઇ એવા મિકેનિઝમ પર કામ કરી રહ્યું છે જેનાથી ટેન્શનની સ્થિતિમાં પૂરી ઇન્ટરનેટ સર્વિસ બંધ કરવા કરતાં ફક્ત સોશિયલ મીડિયા પ્લેટફોર્મને જ બ્લોક કરી શકાશે. હાલ તંત્ર પાસે એવું કોઇ મિકેનિઝમ નથી જેનાથી અલગ અલગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી શકાય.
ખાદ્ય મોંઘવારી દર વધી શકે
ખાદ્ય મોંઘવારી દર વધવાની આશંકા વ્યક્ત થઇ રહી છે. દાળ, શાકભાજી અને અનાજ બાદ હવે ખાદ્યતેલ પણ મોંઘું થઇ રહ્યું છે. જુલાઇમાં અત્યાર સુધી સરસવના તેલ અને પામતેલની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. જુલાઇમાં સરસવના તેલનો ભાવ 130 રૂપિયા કિલો હતો. જે હવે વધીને 135 રૂપિયા થઇ ગયો છે. પામ ઓઇલનો ભાવ પણ 100થી વધીને 105 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે. સૂર્યમુખીના તેલની આયાતમાં પણ 10 ટકાની તેજી થઇ ચુકી છે.
લોન રિકવરીમાં બેંકો સંવેદના દર્શાવે
કેન્દ્ર સરકારે બેંકોને સૂચના આપી છે કે લોન રિકવરીના કેસોમાં સંવેદનશીલતા બતાવે. બેંકો સરકારે એવી સલાહ આપી છે કે લોનની રિકવરી માટે સખત પગલા ન ભરે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તેમની પાસે આ અંગે ઘણી ફરિયાદો આવી છે. કેટલીક બેંક લોન રિકવરી માટે કઠોર અને આકરા પગલા ભરી રહી છે. હવે આશા છે કે કદાચ બેંકો લોન રિકવરી માટે માનવતા દાખવશે.
નટ-બોલ્ટ માટે ગુણવત્તા માપદંડ
સરકારે નટ-બોલ્ટ અને ફાસ્નર માટે રજૂ કર્યા ગુણવત્તા માપદંડ..આ પગલાનો હેતુ ખરાબ ગુણવત્તાવાળા ઉત્પાદનોની આયાતને રોકવાનો છે. અને સ્થાનિક સ્તરે ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. હવે દેશમાં ફક્ત બીઆઇએસ માર્કવાળા નટ-બોલ્ટનું જ વેચાણ થઇ શકશે. નોન-બીઆઇએસ પ્રોડક્ટનું નિર્માણ, સ્ટોરેજ અને વેચાણ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ રહેશે. આ નિર્ણયથી ગ્રાહકોની સુરક્ષાને પણ પ્રોત્સાહન મળશે.
કપડામાં ઇન્ડિયા સાઇઝ આવશે
કાપડ મંત્રાલય ટૂંક સમયમાં કપડા માટે ઇન્ડિયા સાઇઝવાળા ધોરણો રજૂ કરશે. ભારતીય શારિરીક સંરચના અનુસાર આ સ્ટાન્ડર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ ધોરણો આવ્યા બાદ ફિટિંગ થાય એવા કપડા ખરીદવામાં સરળતા રહેશે. હાલ ભારતમાં બધી આંતરરાષ્ટ્રીય અને લોકલ બ્રાન્ડ સ્મોલ, મીડિયમ અને લાર્જ સાઇઝ માટે અમેરિકા કે બ્રિટનના ધોરણોનો ઉપયોગ કરે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો