Money9: ટેક કંપની ગૂગલે છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેની સમગ્ર પાયથન ટીમને નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું છે. કંપનીએ આ નિર્ણય સસ્તી લેબરને હાયર કરવા અને કોસ્ટ કટિંગ માટે લીધો છે. એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે… રિપોર્ટ અનુસાર, Google ખર્ચ ઘટાડવા માટે અમેરિકાની બહારથી સસ્તા કર્મચારીઓને હાયર કરવાની યોજના બનાવી રહ્યું છે. પાયથોન એક હાઇલી સોફિસ્ટિકેટેડ, જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગવેજ છે. ગૂગલની આ ટીમમાં લગભગ 10 લોકો કામ કરી રહ્યા હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગૂગલ જર્મનીના મ્યુનિક, નવેસરથી એક નવી ટીમ બનાવી રહી છે. અગાઉ, આ ટીમના 10 થી ઓછા લોકો પાયથોનની સમગ્ર ઇકોસિસ્ટમને ચલાવતા હતા. Google પર આ ટીમ પાયથોનના સ્ટેબલ વર્ઝનને મેન્ટેન કરવા, હજારો થર્ડ પાર્ટી પેકેજને અપડેટ કરવા અને એક ટાઇપચેકર ડેવલપ કરવામાં વ્યસ્ત હતી.
જો તમારે બેંકનું કોઇ કામ છે તો આવતા મહિને એટલે કે મે 2024માં આવતી બેંકોની રજાઓ પર ખાસ ધ્યાન આપવાની જરુર છે. મે મહિનામાં મહારાષ્ટ્ર દિવસ, ગુજરાત સ્થાપના દિવસ, લોકસભા ચૂંટણી, અક્ષય તૃતીયા, બુદ્ધ પૂર્ણિમા વગેરેના કારણે બેંકો કુલ 14 દિવસ બંધ રહેશે. જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે. મે મહિનાની બેંકોની રજાઓ પર નજર કરીએ તો 1લી મેના રોજ મહારાષ્ટ્ર દિવસ અને મજૂર દિવસના કારણે, બેલાપુર, બેંગલુરુ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, કોચી, કોલકાતા, મુંબઈ અને નાગપુરમાં બેંકો બંધ રહેશે. 5મીએ રવિવાર, 7મીએ લોકસભા ચૂંટણીના કારણે ગુજરાતમાં, 8મીએ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિને કારણે કોલકાતામાં, 10મી મેએ બસવ જયંતિ અને અક્ષય તૃતીયાના કારણે બેંગલુરુમાં, 11 અને 12 તારીખે શનિ-રવિની રજા, 13મીએ ચૂંટણીને કારણે શ્રીનગરમાં, 16મીએ રાજ્ય દિવસના કારણે ગંગટોકમાં, 19મીએ રવિવાર, 20મીએ ચૂંટણીના કારણે બેલાપુરમાં, 23મીએ બુદ્ધ પૂર્ણિમાના કારણે ગુજરાત સિવાયના ઘણાં રાજ્યોમાં, 25મીએ ચોથો શનિવાર અને 26 મેના રોજ રવિવારે બેંકો બંધ રહેશે.
આરબીઆઈના ધ્યાનમાં આવ્યું છે કે લોન લેનારા ગ્રાહકો પાસેથી બેંકો અને એનબીએફસી વ્યાજ વસૂલવા માટે અનફેર રીતો અપનાવી રહી છે. આરબીઆઈએ કહ્યું કે 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ દરમિયાન બેંકો અથવા એનબીએફસી જેવી નિયમનકારી સંસ્થાઓના ઓનસાઈટ નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે ધિરાણ સંસ્થાઓ વ્યાજ વસૂલવા માટે અનફેર અને ખોટી રીતો અપનાવી રહી છે. આવી સ્થિતિમાં, આરબીઆઈએ તમામ નિયમનકારી સંસ્થાઓને પારદર્શિતા જાળવવા માટે લોન ડિસબર્સલ પદ્ધતિઓ, વ્યાજ દરની સાથે સાથે અન્ય ચાર્જ વસૂલવાની રીતોની સમીક્ષા કરવા સૂચના આપી છે… ભારતીય રિઝર્વ બેંકે તમામ કોમર્શિયલ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો, ગ્રામીણ બેંકો, સહકારી બેંકો અને એનબીએફસીને સર્ક્યુલર જારી કરીને આ આદેશનો તાત્કાલિક અમલ કરવા જણાવ્યું છે. આરબીઆઈએ ધિરાણ આપતી નાણાકીય સંસ્થાઓને યોગ્ય પગલાં લેવા અને સિસ્ટમ લેવલ ચેન્જ કરવા પણ જણાવ્યું છે.
દેશમાં ટ્રાવેલ અને ટુરીઝમ સેક્ટરમાં 2033 સુધીમાં એટલે કે નવ વર્ષમાં 5.82 કરોડ નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે. કોરોના સમયે, 2020 માં પર્યટન ક્ષેત્રમાં 3.9 કરોડ નોકરીઓ ગઈ હતી, જે દેશમાં કુલ રોજગારના લગભગ 8 ટકા હતી. NLB services દ્વારા સોમવારે જારી કરાયેલા અહેવાલ અનુસાર, મહામારીમાંથી સાજા થયા બાદ પ્રવાસ અને પર્યટન ક્ષેત્રમાં સૌથી ઝડપી સુધારો જોવા મળ્યો હતો. કેલેન્ડર વર્ષ 2023માં સેક્ટરે 16 લાખ વધારાની નોકરીઓ આપી છે. જાન્યુઆરી 2023 થી, travel and tourism sector માં દૈનિક વેતનની નોકરીઓમાં 14 ટકાનો વધારો થયો છે. આમાં ટ્રાન્સલેટર્સ, ફોટોગ્રાફર્સ અને ટૂર ગાઇડ જેવી પોસ્ટનો સમાવેશ થાય છે. આગામી બે વર્ષમાં આ સેક્ટરમાં નોકરીઓમાં 20 ટકાનો વધારો થવાની ધારણા છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ સોમવારે ભારતમાં XUV 3XO લોન્ચ કરી દીધી છે. આ સબ-4 મીટર એસયુવી સેગમેન્ટમાં આ ભારતની પ્રથમ કોમ્પેક્ટ એસયુવી છે, જેમાં પેનોરેમિક સનરૂફ, Level-2 ADAS Safety Feature, ઓટો હોલ્ડ સાથે ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને ડ્યુઅલ ઝોન ક્લાઈમેટ કંટ્રોલ જેવી સુવિધાઓ છે. આ કાર XUV300નું ફેસલિફ્ટ વર્ઝન છે, જેને નવા નામ સાથે રજૂ કરવામાં આવ્યું છે. મહિન્દ્રાએ તેને નવ વેરિઅન્ટમાં રજૂ કરી છે. તેમાં 3 એન્જિન વિકલ્પો સાથે 16 કલર ઓપ્શન છે. કંપનીનો દાવો છે કે આ કાર 20.1kmpl ની માઈલેજ આપે છે. XUV 3XOની એક્સ-શોરૂમ કિંમત 7.49 લાખથી 15.49 લાખ રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે. કારનું બુકિંગ 15મી મેથી શરૂ થશે. આ સેગમેન્ટમાં, તે Maruti Brezza, Hyundai Venue, Kia Sonet, Tata Nexon, Renault Kiger, Nissan Magnite Maruti Suzuki Swift અને Toyota Urban Cruiser સાથે સ્પર્ધા કરશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો