તમે ઘર ખરીદવા માંગો છો, પરંતુ પ્રોપર્ટી માર્કેટમાં અત્યારે તેજીનો પવન ફૂંકાયેલો છે.. તેજીના આ તબક્કામાં પ્રોપર્ટીના ભાવ પણ આસમાનને આંબી રહ્યા છે... આવી સ્થિતિમાં તમારા બજેટ માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે રિસેલ પ્રોપર્ટી.. કેવી રીતે? જુઓ આ રિપોર્ટ…
અટકેલા પ્રોજેક્ટમાં કામ શરૂ થાય તો ઘણી ચીજો બદલાઇ શકે છે. જુનાના બદલે નવો બિલ્ડર આવ્યો તો તે એગ્રીમેન્ટ ટુ સેલ બનાવશે. જેમાં વેચાણની શરતો, જુના બિલ્ડરને આપવામાં આવેલા પૈસા, મકાનની વધેલી કોસ્ટ અને હજુ કેટલા પૈસા આપવાના છે તે બધુ મેન્શન હશે.
ઘર માટે જમીન ખરીદતા પહેલા એ જાણી લો કે તમે જે જમીન ખરીદી રહ્યા છો તે કઈ શ્રેણીની છે...એગ્રીકલ્ચર છે કે નૉન એગ્રીકલ્ચર.. બિન- ખેતીની જમીનનો અર્થ એ નથી કે તમે તેના પર ઘર બનાવી શકો છો…જો કે, નૉન એગ્રીકલ્ચરમાં પણ ઘણી શ્રેણીઓ છે…જેમ કે રેસિડેન્શિયલ, કોમર્શિયલ, વેર હાઉસિંગ, આઈટી પાર્ક વગેરે…જો જમીન નૉન એગ્રીકલ્ચર રેસિડેન્શિયલ છે તો જ ઘર બાંધી શકાય છે..
ઘર કે ફ્લેટ ખરીદવા માટે હોમ લોન લેવી,, તે જમીન માટે લોન એટલે કે લેન્ડ લોન લેવા કરતાં વધુ સરળ છે... લેન્ડ લોનમાં જમીનનો પ્રકાર ઘણો મહત્વનો હોય છે. મોટાભાગની બેંકો ખેતીની જમીન ખરીદવા માટે લોન આપતી નથી. કેટલાક PSU, એટલે કે સરકારી બેંકો લોન આપે છે... પરંતુ તમામ ગ્રાહકોને નહીં.. નાના ખેડૂતો અથવા એવા મજૂરો કે જેમની પાસે કોઈ જમીન નથી,, તેઓ લોન મેળવી શકે છે…
કોવિડ બાદથી જ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી એમ બન્ને જગ્યાએ સારી ડિમાંડ છે. આ જ કારણ છે કે રેન્ટલ ઇનકમ એટલે કે ભાડામાંથી થતી કમાણીમાં જબરજસ્ત તેજી આવી છે.
ફિક્સ્ડ રેટ હોમ લોનમાં, ધિરાણ સમયે બેંક દ્વારા નક્કી કરવામાં આવેલો રેટ સમગ્ર ટેન્યોર દરમિયાન એકસમાન જ રહે છે. રેપો રેટ વધવા કે ઘટવાની તેની પર કોઈ અસર નથી થતી.
કોઇ પણ એવો બિલ્ડર કે જે 500 ચોરસ મીટરથી વધુ જમીન પર પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યો છે અથવા 8થી વધુ એપાર્ટમેન્ટ બનાવી રહ્યો છે તો તેણે તેનો પ્રોજેક્ટ રેરામાં રજિસ્ટર કરાવવો જરૂરી છે. જો કોઇ બિલ્ડર અનરજિસ્ટર્ડ પ્રોજેક્ટ વેચે છે અથવા વેચવાનો પ્રયત્ન કરે છે તો તેની ફરિયાદ રેરામાં કરી શકાય છે... કાયદાનો ભંગ સાબિત થાય તો બિલ્ડરને પ્રોજેક્ટના ખર્ચની 10 ટકા રકમ જેટલો દંડ થઇ શકે છે.
કોઇ પણ એપાર્ટમેન્ટ કે સોસયટીના ઘરમાલિકોના સમૂહને એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિયેશન એટલે કે AOA કહેવાય છે. એસોસિયેશન પોતાનું નામ રેસિડેન્ટ વેલફેર એસોસિયેશન એટલે કે RWA પણ રાખે છે. સોસાયટીમાં વીજળી-પાણી, રસ્તા, પાર્ક, ક્લબ હાઉસથી લઇને સ્ટ્રીટલાઇડની દેખરેખ અને રિપેરિંગ ઉપરાંત સિક્યોરિટીની જવાબદારી RWAને માથે હોય છે. આ કામો માટે મેન્ટેનન્સ ચાર્જ પણ લેવામાં આવે છે. આ ચાર્જ ઘરની સાઇઝના આધારે લેવામાં આવે છે.
હિંદુ મહિલાના જીવનકાળ દરમિયાન, તેની કોઈપણ મિલકત એટલે કે પ્રોપર્ટી પર ફક્ત તેનો જ સંપૂર્ણ અધિકાર હોય છે... જો વિલ ના કર્યું હોય તો મહિલાના મૃત્યુ બાદ મિલકતની વહેંચણી Hindu Succession Act, એટલે કે હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ કાયદો, 1956 હેઠળ થાય છે.
લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટ ઈન્ડિયન ઈઝમેન્ટ્સ એક્ટ, 1882 હેઠળ આવે છે.. આમાં મકાનમાલિક ભાડુઆતને માત્ર ઉપયોગનો અધિકાર આપે છે