મની9ના સર્વે અનુસાર દેશમાં સૌથી ઓછી કમાણી કરતા પરિવારો બિહાર રાજ્યમાં છે. જ્યાં લોકોની મહિનાની સરેરાશ કમાણી 17,567 રૂપિયા છે. ઓછી કમાણીમાં બીજા ક્રમે ઓડિશા છે.
મની9નો 2023નો સર્વે દર્શાવે છે કે ભારતમાં એક પરિવારની સરેરાશ માસિક કમાણી 25,910 રૂપિયા છે. જ્યારે ઘરમાં કમાતા હોય તેવા સભ્યો 1.8 છે.
મની9ના સર્વે અનુસાર સૌથી વધુ કમાણી કરતા પરિવારોમાં કર્ણાટક રાજ્યમાં છે. કર્ણાટકમાં પરિવારોની મહિનાની સરેરાશ કમાણી 35,411 રૂપિયા છે. મહારાષ્ટ્ર કમાણીમાં બીજા નંબરે છે.
મની9એ હાથ ધર્યો પર્સનલ ફાઇનાન્સ સર્વે. આ સર્વેમાં 20 રાજ્યોના લગભગ 115 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા હતા. 10 અલગ-અલગ ભાષાઓમાં ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન હાથ ધરવામાં આવેલા સર્વેમાં 1170થી વધુ ગામડાઓ અથવા શહેરી વિસ્તારોના 35 હજારથી વધુ પરિવારો પાસેથી તેમની કમાણી, ખર્ચ, બચત અને રોકાણ અંગેની માહિતી એકત્ર કરવામાં આવી હતી. 2023નો આ સર્વે ગત વર્ષ કરતા મોટો અને વધુ વ્યાપક છે. 2022ના સર્વેમાં 31 હજારથી વધુ પરિવારોનો સર્વે કરવામાં આવ્યો હતો, એટલે કે આ વખતના સર્વેની સેમ્પલ સાઈઝ 2022ના સર્વેની સરખામણીમાં લગભગ 10 ટકા વધારે છે. સર્વેની જવાબદારી પ્રતિષ્ઠિત એજન્સી RTI ઈન્ટરનેશનલને સોંપવામાં આવી હતી. જે વર્લ્ડ બેંક અને ફેસબુક જેવી મોટી સંસ્થાઓ માટે આ પ્રકારનો સર્વે કરી રહી છે. Money9 એ જે થીમ પર આ સર્વે કર્યો છે, આવા સર્વે ક્યાં તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અથવા તો સરકારના નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. પરંતુ સામાન્ય લોકોની આવક, બચત, ખર્ચ અને રોકાણને લઈને આરબીઆઈ અને એનએસએસઓના સર્વે ઘણા જૂના થઈ ગયા છે. મની9નો સર્વે આ થીમ પરનો સૌથી લેટેસ્ટ સર્વે છે અને દેશના નાગરિકોની નાણાકીય સુરક્ષાના સ્તરની સૌથી સચોટ માહિતી પ્રદાન કરે છે.
personal finance, finance, finance stock, finance news, finances, personal survey, personal finance basics, survey, personal finance for teenagers, beginners guide to personal finance, student guide to personal finance, personal finance for college students, personal finance tips for students, personal, personal finance for high school students
સૌથી વધુ લોકપ્રિય ક્રેડિટ કાર્ડ્સ પર ઉપલબ્ધ લાભો ઘટી રહ્યા છે. કેટલાક બેઝિક કાર્ડ્સમાં, એરપોર્ટ પર ફ્રી લાઉન્જ એક્સેસ દૂર કરવામાં આવી છે, જ્યારે કેટલાક કાર્ડ્સમાં, ત્રિમાસિક, માસિક ધોરણે ચોક્કસ રકમ ખર્ચ્યા પછી જ ફ્રી લાઉન્જ એક્સેસ ઉપલબ્ધ છે.
ઇમરજન્સી ફંડ તમને મુશ્કેલ સમયમાં પૈસાની મદદ કરે છે... લોન લેવાથી બચાવે છે... એટલું જ નહીં, વર્તમાન સમયમાં તમારા જે રોકાણો ચાલી રહ્યા છે તેને તૂટતા બચાવે છે
મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ કે પ્રોડક્ટને સમજ્યા વગર રોકાણ ન કરો. ઉદાહરણ તરીકે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ લોંગ ટર્મ માટે એટલે કે લાંબાગાળા માટે હોય છે. જ્યારે રોકાણકાર સામાન્ય રીતે ટૂંકાગાળા એટલે કે શોર્ટ ટર્મમાં સારા રોકાણની ઇચ્છા રાખતા હોય છે.
મોટા ભાગના લોકો ઈમરજન્સીમાં પૈસાની જરૂર પડે ત્યારે પર્સનલ લોન લે છે... એમાં કોઈ ખોટું નથી.. પરંતુ તમે કયા હેતુ માટે લોન લઈ રહ્યા છો,, તેનાથી જ નક્કી થાય છે કે તમારે પર્સનલ લોન લેવી જોઈએ કે નહીં… આજે અમે તે પરિસ્થિતિઓ વિશે વાત કરીશું જ્યારે તમારે પર્સનલ લોન લેવાનું ટાળવું જ જોઈએ.
વિદેશ યાત્રા એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. યાત્રાનું પ્લાનિંગ કરતી વખતે એક ચિંતા રોમિંગ ચાર્જિસની હોય છે. જ્યારે તમે વિદેશથી ઘરે ફોન કરો છો કે પરિવારના કોઈ સભ્ય કે મિત્રનો ફોન આવે છે ત્યારે ફોનમાંથી એટલા પૈસા કપાઈ જાય છે કે વિદેશ પ્રવાસ તમારા ખિસ્સા પર બોજ બની જાય છે.