67 ટકા પરિવારોએ બચત કેમ તોડી?

દેશના લોકોએ પોતાની બચત કેમ તોડી તેના કેટલાક રસપ્રદ તારણો બહાર આવ્યા છે. મની9ના સર્વે અનુસાર દેશના 22.3 ટકા લોકોને બીમારીની સારવાર પાછળ બચત તોડી પડી છે.

  • Team Money9
  • Last Updated : December 23, 2023, 14:42 IST
67 ટકા પરિવારોએ બચત કેમ તોડી?

Money9: મની9એ પર્સનલ ફાઇનાન્સ પર દેશનો સૌથી મોટો સર્વે હાથ ધર્યો છે. આ સર્વેમાં 20 રાજ્યોના લગભગ 115 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા હતા. 10 અલગ-અલગ ભાષાઓમાં ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન હાથ ધરવામાં આવેલા સર્વેમાં 1170થી વધુ ગામડાઓ અથવા શહેરી વિસ્તારોના 35 હજારથી વધુ પરિવારો પાસેથી તેમની કમાણી, ખર્ચ, બચત અને રોકાણ અંગેની માહિતી એકત્ર કરવામાં આવી હતી. 2023નો આ સર્વે ગત વર્ષ કરતા મોટો અને વધુ વ્યાપક છે. 2022ના સર્વેમાં 31 હજારથી વધુ પરિવારોનો સર્વે કરવામાં આવ્યો હતો, એટલે કે આ વખતના સર્વેની સેમ્પલ સાઈઝ 2022ના સર્વેની સરખામણીમાં લગભગ 10 ટકા વધારે છે. સર્વેની જવાબદારી પ્રતિષ્ઠિત એજન્સી RTI ઈન્ટરનેશનલને સોંપવામાં આવી હતી. જે વર્લ્ડ બેંક અને ફેસબુક જેવી મોટી સંસ્થાઓ માટે આ પ્રકારનો સર્વે કરી રહી છે. Money9 એ જે થીમ પર આ સર્વે કર્યો છે, આવા સર્વે ક્યાં તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અથવા તો સરકારના નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. પરંતુ સામાન્ય લોકોની આવક, બચત, ખર્ચ અને રોકાણને લઈને આરબીઆઈ અને એનએસએસઓના સર્વે ઘણા જૂના થઈ ગયા છે. મની9નો સર્વે આ થીમ પરનો સૌથી લેટેસ્ટ સર્વે છે અને દેશના નાગરિકોની નાણાકીય સુરક્ષાના સ્તરની સૌથી સચોટ માહિતી પ્રદાન કરે છે.

દેશના લોકોએ પોતાની બચત કેમ તોડી તેના કેટલાક રસપ્રદ તારણો બહાર આવ્યા છે. મની9ના સર્વે અનુસાર દેશના 22.3 ટકા લોકોને બીમારીની સારવાર પાછળ બચત તોડી પડી છે. આ ઉપરાંત 8.2 ટકા લોકોએ લગ્ન માટે, 15.2 ટકા લોકોએ નોકરી-ધંધામાં નુકસાન થવાના કારણે, 8.2 ટકા લોકોએ લોન ચુકવવા માટે, 11 ટકા લોકોએ બાળકોના શિક્ષણ માટે અને 2.3 ટકા લોકોએ ઘરમાં કમાનાર વ્યક્તિનું નિધન થતા બચત તોડવાનો વારો આવ્યો છે. બીજી તરફ 33 ટકા લોકો એવા પણ છે જેમને બચત નથી તોડવી પડી. એટલે તેમણે બચત જાળવી રાખી છે.

Published: December 23, 2023, 14:42 IST