Money9 Gujarati: જો તમે બેન્ક લોકર (Bank Locker)માં રોકડ રાખવાનું વિચારી રહ્યા છો… તો ફરી વિચાર કરી લેજો… અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક મહિલાને આવું કરવું ભારે પડી ગયું હતું… મહિલાએ તેની પુત્રીના લગ્ન માટે 18 લાખ રૂપિયા બેન્ક (Bank)ના લૉકરમાં રાખ્યા હતા..જેને ઉધઈ ખાઈ ગઈ.. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આવા નુકસાનની ભરપાઈ કરવા માટે બેન્કો જવાબદાર છે? આ સવાલનો જવાબ જાણતા પહેલા ચાલો જાણીએ કે શું લૉકરમાં રોકડ (Cash) રાખી શકાય છે?
ભારતીય સ્ટેટ બેન્ક એટલે કે SBIની વેબસાઈટ પર ઉપલબ્ધ રિવાઈઝ્ડ સેફ ડિપૉઝિટ લૉકર એગ્રીમેન્ટ પ્રમાણે લૉકરનો ઉપયોગ માત્ર કાયદેસર હેતુઓ માટે જ થઈ શકે છે, જેમ કે જ્વેલરી અને દસ્તાવેજો જેવી કીમતી વસ્તુઓ રાખવા… કેશ કે કરન્સી માટે ઉપયોગ કરી શકાતો નથી.. એટલું જ નહીં.. એગ્રીમેન્ટ મુજબ શસ્ત્રો, વિસ્ફોટક અથવા કોઈપણ પ્રતિબંધિત સામગ્રી…ખરાબ અથવા નષ્ટ થઈ શકે તેવી સામગ્રી.. રેડિયોએક્ટિવ મટિરિયલ અથવા એવી સામગ્રી કે જેનો ઉપયોગ કાયદા દ્વારા પ્રતિબંધિત છે… અથવા એવી સામગ્રી કે જે બેન્ક અથવા તેના કોઈપણ ગ્રાહકો માટે જોખમી છે,, તેને પણ બેન્ક લૉકરમાં રાખી શકાતી નથી.. ભારતીય રિઝર્વ બેન્કે ઓગસ્ટ 2021માં ‘સેફ્ટી ડિપોઝિટ લૉકર’ શીર્ષકથી આ સર્ક્યુલર બહાર પાડ્યો હતો..
સર્ક્યુલર પ્રમાણે, જો લૉકરમાં રાખેલો સામાન ભૂકંપ, પૂર અને તોફાન જેવી કુદરતી આપત્તિ અથવા એક્ટ ઑફ ગૉડ અને કસ્ટમરની કોઈ ભૂલ કે બેદરકારીને કારણે લૉકરમાં રાખેલા સામાનને નુકસાન પહોંચે છે તો બેન્ક જવાબદાર રહેશે નહીં…
જો કે, બેન્કોએ આવી આપત્તિઓથી લૉકર સિસ્ટમને બચાવવા માટે યોગ્ય પગલાં લેવા પડશે.. બેન્કોની જવાબદારી છે કે તેઓ તે પરિસરની સલામતી માટે તમામ પગલા ભરે,,જ્યાં સેફ ડિપૉઝીટ વૉલ્ટ રાખવામાં આવે છે… RBIના જણાવ્યા અનુસાર, બેન્કોની જવાબદારી છે કે તે સુનિશ્ચિત કરે,, કે બેન્ક પરિસરમાં તેમની ખામીઓ, બેદરકારી કે ચૂકના કારણે આગ, ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ, ઈમારત ધરાશાયી થવા જેવી ઘટનાઓ ન થવી જોઈએ… જો લૉકરમાં રાખેલા સામાનને આગળ જણાવેલ કારણોસર અથવા બેન્ક કર્મચારી દ્વારા છેતરપિંડીથી નુકસાન થાય છે તો બેન્ક જવાબદાર રહેશે. અને આવા કિસ્સામાં બેન્કે લૉકરના વાર્ષિક ભાડાના 100 ગણું વળતર ચૂકવવું પડશે..
ઉદાહરણ તરીકે, જો લૉકરનું વાર્ષિક ભાડું 2,000 રુપિયા છે… તો બેન્ક તમને તેના માત્ર 100 ગણા એટલે કે 2 લાખ રુપિયા સુધી જ ચૂકવણી કરશે… પરંતુ તેમાં રાખેલી જ્વેલરીની કિંમત જો 10 લાખ રુપિયા છે… તો આવી સ્થિતિમાં તમને મોટું નુકસાન થશે.
બેન્ક તરફથી મળતું વળતર ઘણું ઓછું છે… આવી સ્થિતિમાં બેન્ક લૉકરમાં રાખેલી જ્વેલરી સહિતની કિંમતી ચીજવસ્તુઓનો વીમો ખાસ કરાવો.. જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓ હોમ ઈન્સ્યોરન્સ અથવા કન્ટેન્ટ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ હેઠળ બેંક લૉકર ઈન્સ્યોરન્સ આપે છે.. ઉદાહરણ તરીકે, ઈફકો ટોકિયો જનરલ ઈન્સ્યોરન્સની એક બેંક લૉકર પોલિસી છે… આ પોલિસી 3 થી 40 લાખ રુપિયા અને તેથી વધુનું વીમા કવર આપે છે… આવી પોલિસી સામાન્ય રીતે જ્વેલરી, ઘરના દસ્તાવેજ, શેર સર્ટિફિકેટ અને પાસપોર્ટ જેવી કિંમતી વસ્તુઓને આવરી લે છે… આ પોલિસી ચોરી, ઘરફોડ, આગ સહિત બીજી દૂર્ઘટનાઓથી થયેલા નુકસાનને કવર કરે છે..
MyWealth Growthના કો-ફાઉન્ડર હર્ષદ ચેતનવાલા કહે છે,, કે કોઈપણ મૂલ્યવાન વસ્તુ,, ભલે તે જીવન હોય કે મિલકત…બંને માટે ઈન્સ્યોરન્સ જરૂરી છે.. એવી વસ્તુ કે જેને નુકસાન થાય તો તમને કોઈ પણ પ્રકારનું આર્થિક નુકસાન થઈ શકે છે,,તેને ઈન્સ્યોર કરાવવો જોઈએ… બેન્ક લૉકર ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ સામાન્ય રીતે ઓછું હોય છે. કારણ કે ચોરી કે ઘરફોડ ચોરીની શક્યતાઓ ઘણી ઓછી હોય છે… લૉકર ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ સમ ઈન્સ્યોર્ડ પર આધારિત છે…
જો તમારી પાસે બેન્ક લૉકર છે… તો તેમાં રોકડ રાખવાની ભૂલ ન કરો… તે ઈન્સ્યોરન્સ હેઠળ પણ આવરી લેવામાં આવશે નહીં… લૉકર એગ્રીમેન્ટની શરતોને ધ્યાનથી વાંચો… કિંમતી ચીજવસ્તુઓનો ઈન્સ્યોરન્સ ખાસ લો… તે બેન્ક લૉકરની અંદર અને બહાર,, બંને સ્થિતિમાં વસ્તુને આવરી લે છે… ધારો કે તમે લગ્નમાં હાજરી આપવા માટે લૉકરમાં રાખેલા ઘરેણાં કાઢીને પહેરો છો… ભગવાન ન કરે કોઈ અપ્રિય ઘટના બની ગઈ.. તો તમે ઈન્સ્યોરન્સ કંપની પાસેથી ક્લેમ લઈ શકો છો… આ માટે તમારે FIR દાખલ કરવી પડશે..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો