Money9: લંચબોક્સમાં વાંચો અત્યાર સુધીના મહત્વના સમાચાર.
ગોફર્સ્ટની 27મેથી ફરી ઉડવાની તૈયારી
લોનના સંકટમાં ફસાયેલી ખાનગી એરલાઇન ગો ફર્સ્ટે 27મેથી ફરી ઉડ્યન શરુ કરવાની તૈયારી કરી લીધી છે. ગો ફર્સ્ટે તેના પાયલોટોને એક્ટિવ મોડમાં રહેવા માટે કહ્યું છે. કંપનીએ ઓપરેશનલ સંબંધી કારણોને આગળ ધરીને 26 મે સુધી પોતાની બધી ફ્લાઇટ રદ્દ કરી દીધી છે. આ અગાઉ એરલાઇન્સે 19 મે સુધી ફ્લાઇટ્સ કેન્સલ કરી દીધી હતી. ગો ફર્સ્ટના વિમાનો 3 મેથી હવાના બદલે જમીન પર છે. એરલાઇને કહ્યું કે ટૂંક સમયમાં યાત્રીઓને સંપૂર્ણ રિફંડ પાછું આપવામાં આવશે. કંપનીએ હાલમાં જ તેની કામગીરીના પુનરુત્થાન હેઠળ NCLTમાં નાદારી માટે અરજી કરી છે.
ફરી મોંઘી થઇ શકે છે તમારી થાળી
તમારી થાળી ફરી મોંઘી થઇ શકે છે. કારણ કે લોટ, મેંદો, સોજી અને ઘઉંથી બનનારી પ્રોડક્ટ્સ ફરીથી મોંઘી થવાની આશંકા વધી ગઇ છે. હકીકતમાં માર્કેટ યાર્ડમાં નવા પાકથી ઘઉંની આવક વધવા અને સરકારી એજન્સીઓની ખરીદી છતાં ઘઉંની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. મે મહિનામાં અત્યાર સુધી કિંમતોમાં અંદાજે 100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની તેજી આવી ચુકી છે. બુધવારે દિલ્હીમાં ઘઉંની જથ્થાબંધ કિંમત 2,395 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. એપ્રિલના અંતે ઘઉંનો ભાવ ક્વિન્ટલ દીઠ 2300 રૂપિયાની નીચે હતો. ઘઉંનો ભાવ એવા સમયે વધી રહ્યો જ્યારે આ વર્ષે દેશમાં રેકોર્ડ ઉત્પાદનનું અનુમાન છે અને માર્કેટ યાર્ડમાં નવો પાક આવી રહ્યો છે.
AU સ્મોલ ફાઇનાન્સ બેંકની FD પર મળશે વધુ વ્યાજ
AU સ્મોલ ફાઇનાન્સ બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી રકમની એફડી પર ફરી વ્યાજ વધાર્યું છે. 7 દિવસથી 10 વર્ષની FD પર સામાન્ય જનતાને હવે 3.75 ટકાથી લઇને 7.20 ટકા સુધીનું વ્યાજ મળશે. સીનિયર સિટીઝન્સને 4.25 ટકાથી લઇને 7.70 ટકા સુધીનું વ્યાજ મળશે. તો 24 મહિના 1 દિવસથી લઇને 36 મહિનાની FD પર બેંક મહત્તમ 8 ટકા વ્યાજ આપી રહી છે. નવા વ્યાજ દરો 15મેથી લાગુ થશે.
મહિલા સન્માન પ્રમાણપત્ર પર મળતા વ્યાજ પર TDS નહીં કપાય
મહિલા સન્માન પ્રમાણપત્ર પર મળતા વ્યાજ પર TDS નહીં કપાય…જે પણ વ્યાજ મળશે તેની પર રોકાણકારોએ ટેક્સ સ્લેબના હિસાબે ઇનકમ ટેક્સ ચૂકવવો પડશે. CBDTએ પોસ્ટઓફિસ બચત યોજનાઓ માટે TDSની જોગવાઇઓને નોટિફાઇડ કરી છે. મહિલા સન્માન પ્રમાણપત્ર પર મળનારું વ્યાજ એક નાણાકીય વર્ષમાં જો 40 હજાર રૂપિયાથી વધુ નહીં હોય તો TDS નહીં કપાય…મહત્વનું છે કે મહિલા સન્માન યોજનામાં મહત્તમ બે લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. યોજનામાં રોકાણકારોને વાર્ષિક 7.5 ટકાનું વ્યાજ મળશે..
WhatsApp કોલથી થતી છેતરપિંડી પર લાગશે લગામ
WhatsApp પર આંતર રાષ્ટ્રીય મોબાઇલ ફોન નંબરથી થતી છેતરપિંડી પર લગામ લાગશે. છેતરપિંડીમાં સામેલ મોબાઇલ નંબર્સને નિષ્ક્રિય કરવા પર WhatsAppએ સંમતિ આપી છે. સરકાર માટે ગ્રાહકોની સુરક્ષા પહેલી પ્રાથમિકતા છે. સરકાર આ અંગે WhatsAppની સાથે સતત સંપર્કમાં છે. ટેલીગ્રામ જેવા અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ સાથે સરકાર વાતચીત કરી રહી છે . છેતરપિંડીમા સામેલ મોબાઇલ નંબર્સને સરકાર બ્લોક કરી દેશે.
વૈશ્વિક મંદીની ભારત પર થશે અસર
વૈશ્વિક સ્તરે જોવા મળતી આર્થિક સુસ્તીની અસર ભારત પણ જોવા મળી શકે છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર આની અસર દેખાઇ રહી છે. એક્સપોર્ટની માંગ ઘટવાથી દેશના ટેક્સટાઇલ એક્સપોર્ટ હબમાં કામમાં ઘટાડો થયો છે. ઉત્તર પ્રદેશના નોઇડા અને તામિલનાડુના ત્રિપુરમાં ટેક્સટાઇલ એકમોએ જરૂર પડે ઓપરેશન બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝે પણ ઉત્પાદન ઘટાડ્યું છે જેથી નિકાસનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મુશ્કેલી ઉભી થશે.
ભારતમાં ધનિકોની સંખ્યામાં થયો ઘટાડો
ગયા વર્ષે ભારતમાં ધનિક લોકોની સંખ્યામાં સાડા સાત ટકાનો ઘટાડો થયો છે. દેશમાં અમીર લોકોની સંખ્યા ઘટીને 12069 રહી ગઇ છે. નાઇટફ્રેંકના જણાવ્યા અનુસાર 3 કરોડ ડોલરથી વધુની સંપત્તિ ધરાવતા અમીર ભારતીયોની સંખ્યા 2022માં ઘટી છે. 2021ની તુલનામાં તેમાં સાડા સાત ટકાનો ઘટાડો થયો છે. 2022માં અબજપતિઓની સંખ્યા વધીને 161 થઇ ગઇ હતી. જે 2021માં 145 હતી. અમીર ભારતીયોની સંપત્તિમાં ઘટાડો થવાનું કારણ વ્યાજ દરોમાં વધારો અને રૂપિયાની નબળાઇ છે. સૌથી વધુ ધનિકોની સંખ્યા ગયા વર્ષે 7.5% ઘટીને 12,069 થઇ ગઇ છે. આવતા 5 વર્ષમાં ધનિકોનીં સંખ્યા વધીને 19 હજાર 119 થવાની શક્યતા છે.
અદાણીની NDTV વિવધ ભાષામાં 9 ન્યૂઝ ચેનલો લાવશે
અગ્રણી મીડિયા કંપની ન્યૂ દિલ્હી ટેલિવિઝન લિમિટેડ (NDTV) આગામી સમયમાં વિવિધ ભારતીય ભાષામાં 9 ન્યૂઝ ચેનલ લાવી રહી છે. કંપની તબક્કાવાર રીતે તેની આ ચેનલો લાવશે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ ન્યૂઝ ચેનલો લોન્ચ કરવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયની મંજૂરી લેવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. કંપનીએ સ્ટોક માર્કેટને એક નિવેદનમાં જણાવ્યું છે કે તેને માહિતી અને પ્રસારણ મંત્રાલયની મંજૂરી મળી જશે ત્યાર બાદ તે આ ચેનલોની લોન્ચિંગની તારીખોની જાહેરાત કરશે. અદાણી ગ્રૂપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અદાણી ગ્રૂપ NDTVને વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ટેલેન્ટ સાથે વધુ મજબૂત કરી રહ્યું છે અને NDTVને મલ્ટિ-પ્લેટફોર્મ ગ્લોબલ ન્યૂઝ ઓર્ગેનાઇઝેશન બનાવવા જઇ રહ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો